અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસ એટલે કે 22મી જાન્યુઆરીએ પ્રશાસને જોરદાર તૈયારીઓ કરી છે. આકાશથી લઈને રસ્તા સુધી હાઈટેક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ દિવસે અયોધ્યામાં પરમિટ વિના કોઈપણ વાહનના પ્રવેશ પર પ્રતિબંધ છે, જ્યારે આકાશ માર્ગે ટ્રાફિકને લઈને પણ કડક નિયમો બનાવવામાં આવ્યા છે.
મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યાના ડાયરેક્ટર વિનોદ કુમારે ખાસ વાતચીતમાં જણાવ્યું કે, અયોધ્યાના લોકો માટે ટૂંક સમયમાં નવી ફ્લાઈટની સુવિધા ઉપલબ્ધ થવા જઈ રહી છે. તેમણે કહ્યું કે આકાશની સાથે સ્પાઈસ જેટ પણ અહીંથી તેની નવી ફ્લાઈટ શરૂ કરવા જઈ રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં પ્રાણ પ્રતિષ્ઠા માટે ઉતરશે. મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા CISFને સોંપવામાં આવી છે. અહીં 250થી વધુ સૈનિકો અને સુરક્ષા અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ડિરેક્ટર વિનોદ કુમારે એમ પણ કહ્યું છે કે શક્ય છે કે સ્પાઈસ જેટ ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયાથી અયોધ્યામાં અલગ-અલગ જગ્યાઓ પર ફ્લાઈટ શરૂ કરે. અયોધ્યાધામમાં આવનારા શ્રદ્ધાળુઓ માટે આ સુવિધા વિશેષ રહેશે.
ડાયરેક્ટર વિનોદ કુમારે જણાવ્યું કે દેશના જુદા જુદા ભાગોમાંથી તેમની પાસે અરજીઓ આવી રહી છે. જે VIP પોતાની ચાર્ટર ફ્લાઈટમાં અયોધ્યા આવવા માગે છે, તેમણે દરેક માટે 22મી તારીખ પહેલા સમય નક્કી કરવાનું શરૂ કરી દીધું છે. તેમણે કહ્યું કે 20થી 22 તારીખ સુધી વીવીઆઈપી માટે ખાસ સમય રહેશે.
ડિરેક્ટર વિનોદ કુમારે કહ્યું કે મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પાર્કિંગની સુવિધા ઓછી છે. જેને ધ્યાનમાં રાખીને આવનારા તમામ વીવીઆઈપી માટે અલગ-અલગ સ્થળોએ પાર્કિંગની સુવિધા ઉભી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આસપાસના જિલ્લાઓમાં લગભગ 6 આવા એરપોર્ટ છે, જેને સ્ટેન્ડબાય મોડ પર એરક્રાફ્ટ પાર્ક કરવા માટે કહેવામાં આવ્યું છે. જેમાં કુશીનગર, પ્રયાગરાજ, લખનૌ, કાનપુર, સિદ્ધાર્થ નગરનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા: મોરેશિયસ સરકારે હિન્દુ ધર્મના લોકો માટે કરી મોટી જાહેરાત, જાણો