કોવિડ રસીકરણ માટે બજેટમાં ઘોષિત 35 હજાર કરોડમાંથી કેટલા ખર્ચ થયા? જાણો RTIમાં શું થયો ખુલાસો?

|

May 31, 2021 | 5:27 PM

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમને (Nirmala Sitaraman) 1 ફેબ્રુઆરીએ રજૂ કરેલા બજેટમાં કોવિડ રસીકરણ અભિયાન માટે 35,000 કરોડ રૂપિયાની જોગવાઈની જાહેરાત કરી હતી.

કોવિડ રસીકરણ માટે બજેટમાં ઘોષિત 35 હજાર કરોડમાંથી કેટલા ખર્ચ થયા? જાણો RTIમાં શું થયો ખુલાસો?
ફાઈલ ફોટો

Follow us on

નાગપુરના એક કાર્યકર્તાને RTI એક્ટ હેઠળ મળેલી માહિતીમાં માલુમ પડ્યું છે કે કેન્દ્ર સરકારે વેક્સિન (Vaccine)ની ખરીદી માટે રૂપિયા 35 હજાર કરોડની કુલ બજેટ જોગવાઈમાંથી માત્ર 4,488.75 કરોડ ખર્ચ કર્યા છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમને (Nirmala Sitaraman) 1 ફેબ્રુઆરીએ રજૂ કરેલા બજેટમાં કોવિડ રસીકરણ અભિયાન માટે 35,000 કરોડ રૂપિયાની જોગવાઈની જાહેરાત કરી હતી.

 

એક્ટિવિસ્ટ મોહનીશ જબલપુરે RTIના જવાબમાં એવું બહાર આવ્યું છે કે રસીકરણની બજેટ જોગવાઈના 13 ટકાથી પણ ઓછા ખર્ચ કરવામાં આવ્યા છે અને 87.18 ટકા નાણાં હજી ખર્ચવામાં આવ્યા નથી. હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરે મોહિનીશને 28 મેના રોજ પોતાના જવાબમાં કહ્યું હતું કે કેન્દ્રીય બજેટમાં નાણાકીય વર્ષ 2021-22માં રસીકરણ માટે 35,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

ભારત બાયોટેક તરફથી કોવિશિલ્ડના 21 કરોડ ડોઝ માટે કોવિડ વેક્સિન ખરીદવા અને એચએલએલ લાઈફકેર લિમિટેડ (મંત્રાલયની ખરીદ એજન્સી)ને 4,488.75 કરોડ રૂપિયા ભારત બાયોટેક તરફથી કોવેક્સિનના 7.5 કરોડ ડોઝની ખરીદી કરવા માટે આપ્યા હતા. કોવિડ-19 રસીની ખરીદી અને ઈનોક્યુલેશનની પ્રક્રિયા ચાલુ છે.”

 

કોરોના સંક્રમણને કારણે કેટલાય યુવાઓ પણ મોતને ભેટ્યા

મીડિયા સાથે વાત કરતા મોહનીશ જબલપુરે કહ્યું કે, “કેન્દ્રએ 1 મેથી 18–44 વર્ષની વય જૂથ માટે રસી આપવાની જાહેરાત કરી હતી. મારા જેવા હજારો લોકો આ જીવલેણ બીમારીથી પોતાને બચાવવા માટે આતુરતાથી રાહ જોતા હોય છે. ઘણા યુવાનો પણ કોરોનાથી મરી ગયા છે.

 

કેન્દ્રએ વારંવાર જાહેરાત કરી હતી કે ભારતમાં ડોઝની કોઈ અછત નથી. તે જ સમયે કેન્દ્રએ કુલ બજેટ જોગવાઈઓમાંથી માત્ર 12.82% ખર્ચ કર્યો છે. કેન્દ્ર બધાને મફત રસી આપવા માટે બાકીની રકમનો ઉપયોગ કેમ કરી રહ્યું નથી?

 

3 મેના રોજ 2,520 કરોડની ચુકવણીની આપી હતી જાણકારી

આરોગ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા 3 મેના રોજ એક નિવેદનમાં જણાવ્યું હતુ કે સરકારે 2,520 કરોડ ચૂકવ્યા છે. જેમાં સીરમ સંસ્થાને મે, જૂન અને જુલાઈમાં ડોઝની સપ્લાય માટે રૂ. 1,732.50 કરોડ અને ભારત બાયોટેકને રૂ. 787.50 કરોડ ચૂકવવામાં આવ્યા હતા. તે જ સમયે 28 મેના રોજ સરકારે કહ્યું હતું કે તેણે ડોઝની ખરીદી માટે એચએલએલ લાઈફકેર લિમિટેડને 4,488.75 કરોડ રૂપિયા આપ્યા છે.

 

આ પણ વાંચો : ‘Cycle Girl’ જ્યોતિના પિતાનું હ્રદય રોગના હુમલાથી મોત, ગયા વર્ષે ગુડગાંવથી દરભંગા લઈ આવી હતી

Next Article