Corona Vaccination: સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રી સાથે બેઠક યોજી, કહ્યું દેશમાં રસીની કોઈ અછત નથી

|

Nov 11, 2021 | 4:14 PM

રાજ્યોમાં જરૂરી વેક્સિનની આપૂર્તિનો આશ્વાસન આપતા જણાવ્યું કે, દેશમાં રસીની કોઈ અછત નથી. કોવિડ રસીકરણ એ આપણું 'રક્ષણાત્મક કવચ' છે.

Corona Vaccination: સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રી સાથે બેઠક યોજી, કહ્યું દેશમાં રસીની કોઈ અછત નથી
Health Minister Mansukh Mandaviya (File Photo)

Follow us on

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. મનસુખ માંડવીયા (Health Minister Mansukh Mandaviya)એ રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે પ્રધાનમંત્રીના ‘હર ઘર દસ્તક’ અભિયાનને મજબુત કરવા પર ચર્ચા કરી હતી. તમામ સ્વાસ્થ્ય મંત્રીઓને સામૂહિક પ્રયત્નો માટે આગ્રહ કર્યો અને એ પણ કહ્યું કે કોઈ પણ નાગરિક કોવિડ-19 રસીથી વંચિત ન રહે. સાથે જ રાજ્યોમાં જરૂરી વેક્સિનની આપૂર્તિનો આશ્વાસન આપતા જણાવ્યું કે, દેશમાં રસીની કોઈ અછત નથી. કોવિડ રસીકરણ એ આપણું ‘રક્ષણાત્મક કવચ’ છે.

આ મહિને શરૂ થયું હતું અભિયાન

કોરોના વેક્સિનેશન (Corona Vaccination)ની ઝડપમાં ઘટાડોને ધ્યાને લેતા કેન્દ્ર સરકારે ગત મહિને જાહેરાત કરી હતી કે, નવેમ્બરની શરૂઆતથી ઘર-ઘર વેક્સિનેશનનો કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. આ અભિયાન હેઠળ અનેક જિલ્લા પર ફોકસ કરવાની વાત કહેવામાં આવી હતી. જ્યાં વેક્સિનેશન ઓછુ થયું છે ત્યાં અભિયાનને ‘હર ઘર દસ્તક’ નામ આપવામાં આવ્યું. જેનો હેતુ લોકોને ઘાતક વાયરસથી બચાવા અને ફુલી વેક્સિનેટેડ માટે પ્રેરિત કરવાનો છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

આ અભિયાન 2 નવેમ્બરના રોજ શરૂ થયું હતું અને પ્રથમ ફોકસ દેશના તે 48 જિલ્લાઓ પર હતું, જ્યાં પ્રથમ રસી લેનારા લોકોની સંખ્યા 50 ટકાથી ઓછી છે. કેન્દ્ર સરકારે લક્ષ્ય રાખ્યું છે કે નવેમ્બરના અંત સુધીમાં દેશભરના તમામ પાત્ર લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ મળી જાય.

109 કરોડથી વધુ રસીકરણ

દેશમાં રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ-19 રસીના 109.63 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ડેટા અનુસાર, દર્દીઓનો રાષ્ટ્રીય સ્વસ્થ થવાનો દર 98.25 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે. દૈનિક ચેપ દર 0.90 ટકા છે, જે છેલ્લા 37 દિવસથી બે ટકાથી ઓછો છે.

તે જ સમયે, સાપ્તાહિક ચેપ દર 1.20 ટકા છે, જે છેલ્લા 47 દિવસથી બે ટકાથી ઓછો રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 3,37,87,047 લોકો ચેપ મુક્ત થયા છે, જ્યારે મૃત્યુ દર 1.34 ટકા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના 11,466 નવા કેસ નોંધાયા છે જ્યારે 460 લોકોના મોત થયા છે.

આ પણ વાંચો: એલન મસ્ક ઈન્ટરવ્યુમાં આ એક સવાલથી પકડી લે છે જૂઠાણું ! ડીગ્રી નહીં આ એક લાયકાતને તેઓ આપે છે પ્રાથમિકતા

આ પણ વાંચો: Success Story: લંડનમાં અભ્યાસ કરી પરત આવી આ યુવક ચલાવે છે ઓટોમેટિક ડેરી ફાર્મ, ચીપથી ટ્રેક થાય છે ગાયોનો રેકોર્ડ

Next Article