Haridwar Kumbh : PM MODIની અપીલ બાદ કુંભનું સમાપન, જુના અખાડાના પ્રમુખ સ્વામી અવધેશાનંદે કરી જાહેરાત

|

Apr 17, 2021 | 9:51 PM

Haridwar Kumbh : ઝડપથી ફેલાતા કોરોના સંક્રમણને કારણે કુંભ સમય પહેલા જ પૂર્ણ કરી દેવાયો.

Haridwar Kumbh : PM MODIની અપીલ બાદ કુંભનું સમાપન, જુના અખાડાના પ્રમુખ સ્વામી અવધેશાનંદે કરી જાહેરાત
PHOTO : GOOGLE

Follow us on

Haridwar Kumbh : દેશમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે, બીજી બાજુ હરિદ્વારમાં ચાલી રહેલા કુંભમાં અનેક કોરોના કેસો સામે આવતા હતા, ઉપરાંત ખ્યાતનામ સંતોના કોરોનાથી મૃત્યુ પણ થયા. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીએ કુંભના સમાપનની અપીલ કરી હતી. PM મોદીની અપીલ બાદ હરિદ્વાર કુંભનું સમાપન કરવામાં આવ્યું છે. જુના અખાડાના પ્રમુખ સ્વામી અવધેશાનંદે હરિદ્વાર કુંભના સમાપનની જાહેરાત કરી છે.

સ્વામી અવધેશાનંદે કુંભના સમાપનની જાહેરાત કરી
હરિદ્વારમાં ચાલી રહેલા કુંભનું સમય પહેલા જ સમાપન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. Haridwar Kumbh માં ઉપસ્થિત 13 અખાડાઓમાં કોરોના સંક્રમણના ઝડપથી ફેલાવા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને કુંભનું સમાપન કરવા અખાડાને અપીલ કરી હતી. આ પછી સૌથી મોટા જુના અખાડાના પ્રમુખ સ્વામી અવધેશાનંદે કુંભની સમાપ્તિની ઘોષણા કરી છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

અખાડાઓની બેઠકમાં લેવાયો નિર્ણય
Haridwar Kumbh ના સમાપન માટે તમામ અખાડાઓની એક બેઠક યોજવામાં આવી હતી. સ્વામી અવધેશાનંદે કહ્યું હતું કે ભારતની જનતા અને તેમનું જીવન આપણી પ્રથમ પ્રાથમિકતા છે. કોરોના રોગચાળાના વધતા જતા પ્રકોપને ધ્યાનમાં રાખીને, અમે કુંભમાં આહ્વાન કરેલા દોરેલા તમામ દેવોનું વિસર્જન કર્યું છે. જુના અખાડા તરફથી આ કુંભનું વિધિવત વિસર્જન-સમાપન છે.

વડાપ્રધાન મોદીએ કરી હતી અપીલ
આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામાન્ય લોકોને કુંભને પ્રતીકાત્મક રાખવાની અપીલ કરી હતી. પીએમ મોદીએ હરિદ્વારમાં મોટી સંખ્યામાં ભક્તોમાં કોરોના ચેપના સમાચાર આવ્યા બાદ લોકોને આ સંકટકાળમાં સહયોગ આપવા અપીલ કરી હતી.

પીએમ મોદીની અપીલ બાદ મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદે કહ્યું હતું કે કુંભ હજી પૂરો થયો નથી. તેમણે અપીલ કરી કે વૃદ્ધો અને બાળકોએ શાહી સ્નાનમાં ન આવવું જોઈએ. સંત સમુદાય વૈરાગીઓની સાથે છે, તેઓએ પોતાનું સ્નાન કરાવવું જોઈએ. તેમણે કહ્યું કે કુંભ સમાપ્ત થશે નહીં, અમારી વિનંતી છે કે ભક્તો ઓછી સંખ્યામાં આવે.

Next Article