Train Accident : ’26/11ના આતંકી હુમલા બાદ NSGને મુંબઈ પહોંચવામાં 10 કલાક લાગ્યા, પરંતુ…’, હરદીપ સિંહ પુરીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું

|

Jun 05, 2023 | 7:55 PM

ઓડિશામાં જ્યારે કોરોમંડલ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ અને માલગાડી અને પેસેન્જર ટ્રેન સાથે અથડાઈ ત્યારે આ દુર્ઘટના ત્યારે થઈ હતી. આ અકસ્માત બાદ વિપક્ષે રેલવે મંત્રીના રાજીનામાની માંગ કરી છે.

Train Accident : 26/11ના આતંકી હુમલા બાદ NSGને મુંબઈ પહોંચવામાં 10 કલાક લાગ્યા, પરંતુ..., હરદીપ સિંહ પુરીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું
Image Credit source: Google

Follow us on

Jammu And Kashmir: ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ કોંગ્રેસ તરફથી રેલવે મંત્રીના રાજીનામાની માંગ પર કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ પલટવાર કર્યો છે. પુરીએ સોમવારે (5 જૂન) જણાવ્યું હતું કે, “26/11ના આતંકી હુમલા બાદ NSGને મુંબઈ પહોંચવામાં 10 કલાકથી વધુ સમય લાગ્યો હતો. ટ્રેન દુર્ઘટના પછી, PMએ સૌપ્રથમ બાલાસોર ટ્રેન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. ત્રણ કેન્દ્રીય મંત્રીઓ પણ હતા. દુર્ઘટનાના 51 કલાકમાં રેલ લાઇન પુનઃસ્થાપિત કરવામાં આવી હતી.

આ પણ વાચો: Coromandel Express Accident : 51 કલાક બાદ બાલાસોરમાં ફરી દોડતી થઈ ટ્રેન, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ રહ્યા હાજર, જુઓ Video

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

હરદીપ સિંહ પુરીએ વિપક્ષી પાર્ટીઓની બેઠક પર પણ આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું, “અમે એક જવાબદાર વિપક્ષ માંગીએ છીએ, પરંતુ આ એક અલગ પ્રકારની વિપક્ષી એકતા છે, તેમાં અડધા એવા છે જેઓ નેતૃત્વ ઈચ્છે છે, અડધા એવા છે જેઓ કોઈની વિરુદ્ધ છે.” હરદીપ સિંહ પુરી સોમવારે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે હતા.

ઓડિશામાં ટ્રેન દુર્ઘટનામાં 275ના મોત

ભારતીય રેલવેના ઈતિહાસમાં શુક્રવાર (2 જૂન)ના રોજ ઓડિશાના બાલાસોર જિલ્લામાં થયેલા ભયાનક ટ્રેન અકસ્માતે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 275 લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ છે જેમની સારવાર ચાલી રહી છે. અકસ્માત બાદ પીએમ મોદીએ અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી અને હોસ્પિટલમાં કેટલાક ઘાયલોને પણ મળ્યા હતા. આ સાથે તેમણે અકસ્માત માટે જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ વાત કરી હતી.

 

 

વિપક્ષે રેલવે મંત્રીના રાજીનામાની માંગ કરી છે

આ દુર્ઘટના બાદ કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવના રાજીનામાની માંગ કરી છે. કોંગ્રેસે કહ્યું કે ભારતીય રેલવે અને લોકો વચ્ચે સર્જાયેલી અરાજકતાની જવાબદારી મોદી સરકારે લેવી જોઈએ. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રવિવારે આરોપ લગાવ્યો કે વડાપ્રધાન મોદી ટ્રેનોને લીલી ઝંડી આપવામાં વ્યસ્ત છે અને રેલ સુરક્ષા પર ધ્યાન નથી આપી રહ્યા.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, “270થી વધુ મૃત્યુ પછી પણ કોઈ જવાબદારી નથી. મોદી સરકાર આવા દર્દનાક અકસ્માતની જવાબદારીથી ભાગી શકે નહીં. વડાપ્રધાને તાત્કાલિક રેલવે મંત્રીનું રાજીનામું માંગવું જોઈએ.”

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article