
તાજેતરમાં MV Hondius નામના ડચ ક્રૂઝ શિપ પર હંતાવાયરસનો ચેપ ફેલાતા વિશ્વભરમાં ચિંતા પ્રસરી છે. આ જહાજ પર 23 દેશોના 140 થી વધુ મુસાફરો સવાર હતા, જેમાંથી અત્યાર સુધીમાં 3 લોકોના મોત નિપજ્યા છે. આ ઘટના એટલી ગંભીર હતી કે અનેક બંદરોએ જહાજને પ્રવેશ આપવાની ના પાડી દીધી હતી, ત્યારબાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.
હંતાવાયરસ એ પ્રાણીઓમાંથી મનુષ્યમાં ફેલાતો ‘ઝૂનોટિક’ વાયરસ છે. તે મુખ્યત્વે ઉંદરોમાં જોવા મળે છે. સંક્રમિત ઉંદરોના પેશાબ, લાળ કે મળમાં આ વાયરસ હોય છે. જ્યારે આ કણો હવામાં ભળે છે અને માણસ શ્વાસ દ્વારા તેને અંદર લે છે, ત્યારે ચેપ લાગે છે.
આ વાયરસ લોહીની નસોની અંદરની પરત પર હુમલો કરે છે, જેનાથી સોજો આવે છે અને ગંભીર કિસ્સામાં ફેફસામાં પાણી ભરાઈ શકે છે.
AIIMS ના નિષ્ણાતો મુજબ, કોરોના અને હંતાવાયરસ અલગ છે. કોરોના માણસથી માણસમાં હવામાંથી ઝડપથી ફેલાતો હતો, જ્યારે હંતાવાયરસ ઉંદરોથી ફેલાય છે. જોકે, આ જહાજ પર જોવા મળેલો ‘Andes Virus’ સ્ટ્રેન મર્યાદિત રીતે માણસથી માણસમાં ફેલાઈ શકે છે, જે ચિંતાનો વિષય છે.
હાલમાં આ વાયરસની કોઈ ચોક્કસ રસી ઉપલબ્ધ નથી, તેથી સાવચેતી જ શ્રેષ્ઠ ઉપાય છે:
#WATCH | Delhi | On Hantavirus, Dr Puneet Misra, Professor of Community Medicine, AIIMS Delhi, says, “Hantavirus disease is a viral disease spread by a group of viruses and the recent episode, which has alarmed the public, happened on a cruise, and this infection is not… pic.twitter.com/TZWJ6ALuOq
— ANI (@ANI) May 8, 2026
ભારતમાં હંતાવાયરસના કેસોની જાગૃતિ અને ટેસ્ટિંગ લેબ્સની અછત છે. તેના લક્ષણો ઘણીવાર ડેન્ગ્યુ કે વાયરલ ફીવર જેવા લાગતા હોવાથી તેની સાચી ઓળખ મુશ્કેલ બને છે. જોકે, ભારત હાલમાં આ આઉટબ્રેકથી હાઈ-રિસ્ક પર નથી, પરંતુ ઐતિહાસિક રીતે તમિલનાડુ જેવા વિસ્તારોમાં તેના કેટલાક સ્ટ્રેન્સ જોવા મળી ચૂક્યા છે.
WHO નું કહેવું છે કે આ ઘટના ગંભીર છે પણ હાલમાં તે વૈશ્વિક મહામારીનો ખતરો નથી. છતાં, સાવચેતી રાખવી અનિવાર્ય છે.