GOOD NEWS : શરદીનો સામાન્ય વાયરસ કોરોના વાયરસને ખત્મ કરી શકે છે, વૈજ્ઞાનિકોનો દાવો

|

Apr 26, 2021 | 3:46 PM

GOOD NEWS : અત્યારે ભારતમાં કોરોનાની પરિસ્થિતિ એકદમ ખરાબ રીતે આગળ વધી રહી છે. ત્યારે હવે તમારે કોરોના બાબતે ખાસ ધ્યાન રાખવું જ પડશે. તમને જણાવી દઇએ કે શરદી પણ એક વાયરસના કારણે થાય છે.

GOOD NEWS : શરદીનો સામાન્ય વાયરસ કોરોના વાયરસને ખત્મ કરી શકે છે, વૈજ્ઞાનિકોનો દાવો
ફાઇલ

Follow us on

GOOD NEWS : અત્યારે ભારતમાં કોરોનાની પરિસ્થિતિ એકદમ ખરાબ રીતે આગળ વધી રહી છે. ત્યારે હવે તમારે કોરોના બાબતે ખાસ ધ્યાન રાખવું જ પડશે. તમને જણાવી દઇએ કે શરદી પણ એક વાયરસના કારણે થાય છે. જે વાયરસનું નામ રાઇનો વાયરસ છે, જ્યારે કોવિડ માટે જવાબદાર વાયરસને સાર્સ-કોવ -2 કહેવામાં આવે છે. હવે કેટલાક વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સામાન્ય શરદી-શીત વાયરસ માનવ શરીરમાંથી કોરોના વાયરસને દૂર કરી શકે છે.

ગ્લાસગો યુનિવર્સિટી દ્વારા કરાયેલા એક અભ્યાસ મુજબ વૈજ્ઞાનિકો માને છે કે શરદી માટે જવાબદાર રાઇનો વાયરસ હાલના કોરોના વાયરસને પરાજિત કરી શકે છે. હકીકતમાં, તે કહે છે કે કેટલાક વાયરસ એવા છે જે માનવ શરીરમાં ચેપ લગાડવા માટે અન્ય વાયરસ સામે લડે છે અને આમાં સામાન્ય શરદી-શીત વાયરસ શામેલ છે.

શું રાઇનો વાયરસ કોરોનાની અસર ઘટાડી શકે છે?
વૈજ્ઞાનિકો કહે છે કે શરદીવાળા રાઇનો વાયરસથી ટૂંકા સમય માટે ફક્ત માનવ શરીરને ફાયદો થઈ શકે છે, પરંતુ તે શરીરમાં એવી રીતે ફેલાય છે કે તે કોરોના વાયરસના ગંભીર પ્રભાવોને ઘટાડવામાં મદદ કરી શકે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

અધ્યયન મુજબ વૈજ્ઞાનિકોએ સંશોધન માટે પહેલા માનવ શ્વસન પ્રણાલી જેવી જ રચના અને કોષો બનાવ્યાં, અને ત્યારબાદ તેને કોવિડ -19 અને રાઇનો વાયરસ બંનેનો ચેપ લગાડયો. બંને વાયરસ એક જ સમયે મુક્ત થયા હોવાથી, શરદી-શીત વાયરસ વધુ અસરકારક સાબિત થયો હતો.

આ સંશોધનથી વૈજ્ઞાનિકો આ નિષ્કર્ષ પર આવ્યા છે કે જો કોરોના વાયરસના ચેપના લાગ્યા પહેલા 24 કલાકમાં રાઇનો વાયરસ અથવા કોલ્ડ વાયરસ શરીરને સારી રીતે કબજે કરી શકશે, જેને કારણે કોવિડ -19 વાયરસ માટે શરીરમાં પોતાનું અસ્તિત્વ ટકાવવું ખૂબ મુશ્કેલ જ બની રહે છે. અને તેની શરીર પર અસર પણ નહિવત થાય છે.

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, જો કોવિડ -19 વાયરસ રાઇનો વાયરસથી ચેપ લાગ્યાના 24 કલાક પછી માનવ શરીરમાં પ્રવેશ કરે છે, તો રાઇનો વાયરસ તેને આસાનથી બહાર કાઢી શકે છે. જો કે, આ અંગે વધુ સંશોધન થઇ રહ્યું છે. આ સંશોધન ‘ચેપી રોગોના જર્નલ’માં પ્રકાશિત થયું છે.જોકે, આ સંશોધન કોરોના વાયરસના ચેપ સામે રક્ષણ મેળવવા માટે એક સારા સમાચાર કહી શકાય. અને જો આ અધ્યયનના સારા પરિણામો સામે આવશે તો ચોક્કસ લોકોમાં કોરાનાનો ડર ઓછો થશે.

Published On - 3:45 pm, Mon, 26 April 21

Next Article