સરકાર ખેડૂતોને ખાતર, પાણી અને વીજળીની સહાય કરે છે પરંતુ વચેટિયાઓ અને ભ્રષ્ટ અધિકારીઓની મિલિભગતના કારણે ખેડૂતોને તેનો પૂરતો લાભ નથી મળતો. પહેલા સાબરકાંઠામાં એગ્રો સેન્ટરના સંચાલકે ખાતર યુરિયા ખાતર ખરીદવા આવેલા ખેડૂતને પરાણે 100 રૂપિયાની જંતુનાશક દવા ખરીદવા દબાણ કર્યું અને હવે ગીરસોમનાથ જિલ્લાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં યુરિયા ખાતરની થેલીમાંથી લોટ અને લોખંડના ટુકડા મળી આવ્યા છે. ગીર ગઢડા તાલુકાના ડોકરવાનો આ વીડિયો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે સરકારી ખાતરની સીલબંધ થેલીમાં ભેળસેળ કરવામાં આવી છે. આ વીડિયો સામે આવ્યા બાદ ખેડૂત સંઘ એક્શનમાં આવી ગયો છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : ભારતમાં કોરોના વાયરસની દસ્તક, કેરળમાં પ્રથમ કેસ નોંધાયો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો