દવાઓનું વેચાણ વધારવા માટે ડોક્ટરોને આપવામાં આવતી ભેટ કાયદેસર કે ગેરકાયદેસર? જાણો શું કહ્યું સુપ્રીમ કોર્ટે

|

Feb 23, 2022 | 5:34 PM

દવા કંપનીઓ દ્વારા ડોક્ટરોને સોનાના સિક્કા, ફ્રિજ અને એલસીડી ટીવી જેવી ભેટથી લઈને આંતરરાષ્ટ્રીય પ્રવાસો ઓફર કરવામાં આવે છે.

દવાઓનું વેચાણ વધારવા માટે ડોક્ટરોને આપવામાં આવતી ભેટ કાયદેસર કે ગેરકાયદેસર? જાણો શું કહ્યું સુપ્રીમ કોર્ટે
Supreme Court (File Image)

Follow us on

સુપ્રીમ કોર્ટે (Supreme Court) કહ્યું કે દવાઓના વેચાણને પ્રોત્સાહન આપવા માટે ફાર્માસ્યુટિકલ કંપનીઓ (Pharma companies) દ્વારા ડૉક્ટરોને મફત ભેટ આપવી એ કાયદા હેઠળ સંપૂર્ણ ગુનો છે. આ સાથે સુપ્રીમ કોર્ટે મંગળવારે ડોકટરોને પ્રોત્સાહિત કરવાના નામે આવકવેરા કાયદા હેઠળ કપાત માટેની કંપનીની અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે ડોકટરોને આપવામાં આવતી મફત ભેટોના બદલામાં ફાર્માસ્યુટિકલ કંપનીઓ (pharmaceutical companies) દ્વારા પ્રિસ્ક્રિપ્શનોની હેરફેરને ચિંતાનો વિષય” ગણાવ્યો છે.

દવા કંપનીઓ દ્વારા તેમને સોનાના સિક્કા, ફ્રિજ અને એલસીડી ટીવી જેવી ભેટથી લઈને આંતરરાષ્ટ્રીય પ્રવાસો ઓફર કરવામાં આવે છે. આ ઉપરાંત, રજાઓ અથવા મેડિકલ કોન્ફરન્સમાં હાજરી આપવા માટે ભેટ તરીકે આંતરરાષ્ટ્રીય પ્રવાસનો પણ સમાવેશ થાય છે.

જસ્ટિસ યુ. યુ. લલિત (Justices Uday U Lalit) અને જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ (S Ravindra Bhat)ની બેન્ચે હાઈકોર્ટના આદેશ સામે મેસર્સ એપેક્સ લેબોરેટરીઝ પ્રાઈવેટ લિમિટેડની અપીલને ફગાવી દીધી હતી. એટલું જ નહીં, તેણે એક ચતુર કાનૂની કેસનું સમાધાન પણ કર્યું જેમાં ડોકટરોને આપવામાં આવતી ભેટો માટે કર કપાતમાંથી મુક્તિ માંગવામાં આવી હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

કંપનીએ દલીલ કરી હતી કે કાયદાના દાયરામાં તબીબી કર્મચારીઓને આવી ભેટો સ્વીકારવા પર પ્રતિબંધ હોવા છતાં તેને કોઈપણ કાયદા હેઠળ ગુનો ગણવામાં આવ્યો નથી, તેથી કંપનીઓ આ ભેટો પર ખર્ચવામાં આવેલી રકમના હિસાબ પર કર લાભો મેળવવા માટે હકદાર છે.

બેન્ચ વતી જસ્ટિસ ભટ દ્વારા લખવામાં આવેલા નિર્ણયોમાં સંબંધિત કાયદા અને નિયમોનો ખુલાસો કરવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું કે ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા ડોક્ટરોને ગિફ્ટ આપવા પર કાયદાના દાયરામાં પ્રતિબંધ છે અને આવી સ્થિતિમાં આવકવેરા કાયદાની કલમ 37(એ) હેઠળ કર લાભનો દાવો કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આમ કરવાથી તે જાહેર નીતિને સંપૂર્ણપણે અસર કરશે.

આ પણ વાંચો: Ahmedabad: ભારતમાં ચાઈનીઝ કંપનીઓ ઉભી કરી અર્થતંત્રને નુકસાન કરવાનું કૌભાંડ, 3 લોકોની ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ

આ પણ વાંચો: Zaghadiya: અકસ્માતમાં 3 મોતની ઘટનામાં મનસુખ વસાવાનો વધુ એક વીડિયો સામે આવ્યો, તેણે કહ્યું મને પણ રેતી માફિયાથી ભય છે

Published On - 4:58 pm, Wed, 23 February 22

Next Article