વાયુ પ્રદૂષણથી દિલ્હીના હાલ બેહાલ થયા, 141 પ્રદૂષિત શહેરોની યાદીમાં ગાઝિયાબાદ પ્રથમ

|

Nov 11, 2021 | 7:45 AM

દિલ્હીમાં પહેલેથી જ પ્રદૂષણના કારણે મુશ્કેલીઓ સર્જાયેલી છે અને દિવાળી પછી તો સ્થિતિને સુધારવી મુશ્કેલ બની રહી છે. દિવાળીના 6 દિવસ બાદ પણ 428 AQI નોંધાયો છે.

વાયુ પ્રદૂષણથી દિલ્હીના હાલ બેહાલ થયા, 141 પ્રદૂષિત શહેરોની યાદીમાં ગાઝિયાબાદ પ્રથમ
Air Pollution - File Photo

Follow us on

રાજધાની દિલ્હી(Delhi)માં પ્રદૂષણ(Pollution) દિવસે દિવસે વધતુ જ જઇ રહ્યુ છે. એનસીઆરમાં તો સ્થિતિ ખૂબ જ ખરાબ બની છે. દિવાળીના 6 દિવસ બાદ તો NCRના શહેરોમાં પ્રદૂષણ ઓસરવાનું નામ નથી જ લઈ રહ્યું. NCRમાં ગાઝિયાબાદમાં સૌથી ખરાબ હવા છે.

ગાઝિયાબાદમાં સૌથી વધુ પ્રદૂષણ
ગાઝિયાબાદમાં AQI સૌથી ખરાબ છે. જેને કારણે બુધવારે દેશના 141 સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં તેને પ્રથમ સ્થાન મળ્યું છે. આ સાથે બુલંદશહરથી પાણીપત સુધીની સ્થિતિ પણ ગંભીર છે. આગામી બે દિવસ સુધી સ્થિતિ એવી જ રહેશે. 13 નવેમ્બરથી હવાની ગુણવત્તાના સ્તરમાં થોડો સુધારો થવાની ધારણા છે.બુધવારે ગાઝિયાબાદનો AQI 428 હતો. AQI ફરીદાબાદમાં 380, ગ્રેટર નોઈડામાં 378, ગુરુગ્રામમાં 340 અને નોઈડામાં 374 છે.

પરાળ સળગાવવાના કારણે પ્રદૂષણ વધ્યુ!
દિલ્હીના પાડોશી રાજ્યોમાં પરાળ સળગાવવાની ઘટનાઓ સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 5317 સ્ટબલ બળી ગયા છે. જેના કારણે જનરેટ થતા PM 2.5નો પ્રદૂષણમાં 27 ટકા હિસ્સો છે. એનસીઆર અને નજીકના શહેરોમાં વધતા પ્રદૂષણનું આ એક મુખ્ય કારણ માનવામાં આવે છે. પવનની દિશા ઉત્તર-પશ્ચિમ રહે છે, પરંતુ ઝડપ હળવી રહે છે. આના કારણે સ્ટબલનો ધુમાડો ઓછી માત્રામાં દિલ્હી-એનસીઆર સુધી પહોંચ્યો છે.

પ્રદૂષણ વધવાની સંભાવના
અનુમાન છે કે આગામી બે દિવસમાં પવનની ગતિ વધશે અને દિલ્હી-એનસીઆરમાં સ્ટબલના ધુમાડા વધવા લાગશે. આનાથી હવાની ગુણવત્તા વધુ ખરાબ થવાની સંભાવના છે.તેમજ સ્થાનિક રીતે ફૂંકાતા પવનની ઝડપ ઓછી હોવાને કારણે પ્રદૂષણનો ફેલાવો ઓછો થશે અને તે લાંબા સમય સુધી એક જ જગ્યાએ રહેશે. જેના કારણે દિલ્હી-એનસીઆર પર પ્રદૂષણની ચાદર છવાયેલી રહી શકે છે. બુધવારે હવામાં પીએમ 10નું સ્તર 321 અને હવામાં પીએમ 2.5નું સ્તર 198 માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર હતું.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

દિલ્હી-NCRની હવા બે દિવસમાં ખરાબ થઈ જશે
અનુમાન છે કે આગામી બે દિવસમાં પવનની ગતિ વધશે અને દિલ્હી-એનસીઆરમાં સ્ટબલના ધુમાડા વધવા લાગશે. આ હવાની ગુણવત્તાને બગાડવામાં મદદ કરશે. તેમજ સ્થાનિક રીતે ફૂંકાતા પવનની ઝડપ ઓછી હોવાને કારણે પ્રદૂષણનો ફેલાવો ઓછો થશે અને તે લાંબા સમય સુધી એક જ જગ્યાએ રહેશે. જેના કારણે દિલ્હી-એનસીઆર પર પ્રદૂષણની ચાદર છવાયેલી રહી શકે છે. બુધવારે હવામાં પીએમ 10નું સ્તર 321 અને હવામાં પીએમ 2.5નું સ્તર 198 માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર હતું.

સૌથી વધુ AQI ધરાવતા શહેરો
બુલંદશહર – 409
હાપુર – 412
બાગપત – 409
જીંદ – 407
કૈથલ- 410
પાણીપત-417
દિલ્હી- 372
ફરીદાબાદ- 380
ગ્રેટર નોઈડા – 378
ગુરુગ્રામ-340
નોઇડા- 374

પ્રદૂષણ રોકવા દિલ્હી સરકારના એજન્ડા
દિલ્હીમાં પ્રદૂષણને રોકવા માટે હવે દિલ્હી સરકારે કમર કસી છે. દિલ્હી સરકાર 11 નવેમ્બરથી 11 ડિસેમ્બર સુધી ‘એન્ટી ઓપન બર્નિંગ’ અભિયાન ચલાવશે. 10 વિભાગોની 550 ટીમો તેના પર નજર રાખશે. 304 ટીમો દિવસ દરમિયાન અને 246 ટીમો રાત્રે પેટ્રોલિંગ કરશે. સરકારે ડીઝલ જનરેટર અને કોલસાની ભઠ્ઠીઓ પર પ્રતિબંધ, મેટ્રો અને બસની ફ્રિકવન્સી વધારવાના નિર્દેશો પણ આપ્યા છે.

 

આ પણ વાંચોઃ આસામના CM હેમંત બિસ્વા સરમાએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર, કહ્યું દેશ અત્યારે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે, તેના માટે એક જ પરિવાર જવાબદાર

આ પણ વાંચોઃ Paytm નો રૂપિયા 18300 કરોડનો IPO સંપૂર્ણ સબસ્ક્રાઇબ થયો, દેશના સૌથી મોટા IPO એ શેર વેચાણનો ઇતિહાસ રચ્યો

 

Next Article