Gujarati NewsNationalFormer PepsiCo CEO Indra Nooyi Says India is Dirty then why accept India's prestigious award 'Padma Bhushan' return it
જો ભારત ‘ગંદુ’ છે, તો PepsiCo ની પૂર્વ CEO ઈન્દ્રા નૂયીએ ભારતનો પ્રતિષ્ઠિત એવોર્ડ ‘પદ્મભૂષણ’ કેમ સ્વીકાર્યો, પરત કરી દે …
ભારતમાં રહી હોત તો ક્યારેય PepsiCo ની CEO ન બની શકી હોત, ભારત ગંદુ છે, અવ્યવસ્થાથી ભરેલુ છે. ભારત વિશે આ બકવાસ કર્યો છે PepsiCo ની પૂર્વ CEO ઈન્દ્રા નૂયીએ. ઈન્દ્રા નૂયી ભારતમાં જ જન્મી, ભારતમાં જ ગ્રેજ્યુએશન અને MBA સુધીનો અભ્યાસ કર્યો. ત્યાં સુધી તેને ભારત ગંદુ ન લાગ્યુ, જે ભારતે વર્ષ 2007માં તેમને સર્વોચ્ચ નાગરિક સન્માન 'પદ્મભૂષણ' જેવા પ્રતિષ્ઠિત એવોર્ડથી નવાજ્યા ત્યાં સુધી તેમને ભારત ગંદુ ન લાગ્યુ અને હવે અમેરિકાની નાગરિક્તા લઈ લીધા બાદ ઈન્દ્રા નૂયીને આ દેશ અવ્યવસ્થા, કેઓસ થી ભરેલો અને ગંદો લાગે છે.
એક ઈન્ટરવ્યુ દરમિયાન PepsiCo ની પૂર્વ CEO ઈન્દ્રા નૂયી એ ભારતને અવ્યવસ્થા કેઓસ થી ભરેલો ગંદો દેશ કહ્યો. તેમણે ભારતની સરખામણી ચીન સાથે કરી અને કહ્યુ કે ભારતની સુંદરતા તેની ‘અવ્યવસ્થા’માં રહેલી છે. તાજેતરમાં ઈન્દ્રા નૂયીએ ‘હૂવર ઈન્સ્ટિટ્યુશન’ ને આપેલા ઈન્ટરવ્યુમાં ઈન્દ્રા નૂયીએ અનેક મુદ્દાઓ પર વાત કરી. જેમા IND-USA ના સંબંધો, લીડરશીપ, ગ્લોબલ લીડરશીપ તેમજ વર્ક કલ્ચર અંગે વાત કરી. આ દરમિયાન ઈન્દ્રા નૂયીએ ભારત વિશે જે બકવાસ કર્યો છે તે સાંભળીને કોઈપણ દેશદાઝ ધરાવતી વ્યક્તિનું લોહી ઉકળી જાય.
કોણ છે ઈન્દ્રા નૂયી ?
મદ્રાસમાં જન્મનારી ઈન્દ્રા નૂયી હાલ અમેરિકાની નાગરિક છે.
વર્ષ 2011માં તેમણે અમેરિકાની સિટીઝનશિપ મેળવી છે
ભારત વિશે ઈન્દ્રા નૂયીએ શું બકવાસ કર્યો?
PepsiCo ની પૂર્વ CEO ઈન્દ્રા નૂયીએ કહ્યુ જો ભારતમાં રહી હોત તો ક્યારેય PepsiCo ની CEO ન બની શકી હોત. તેમણે દાવો કર્યો કે જો તે અમેરિકા ન આવ્યા હોત તો ક્યારેય આટલા સફળ ક્યારેય ન બની શકી હોત. તેમણે અમેરિકાની મેરિટોક્રેસી ની પ્રશંસા કરી. તેમણે ચીન સાથે ભારતની તુલના કરી કે જો તમને સ્વચ્છતા અને એકદમ ટિપટોપ વ્યવસ્થા ગમતી હોય તો તમે ભારતમાં ન રહી શકો. અહી માર્ગ પર ગાયો દોડવી, ટ્રાફિક જેવી સમસ્યાઓ સામાન્ય છે. આ જ કારણોસર પ્રવાસીઓ માટે ચીનમાં સમય વિતાવવો વધુ સરળ છે.
ઈન્દ્ર નૂયીની સિદ્ધિઓ
ઈન્દ્રા નૂયી સ 2006 થી 2018 સુધી PEPSICO ની CEO રહી
ઈન્દ્રા નૂયીને વર્ષ 2014માં ફોર્બ્સ મેગેઝિની વિશ્વની 100 પાવરફુલ (શક્તિશાળી) મહિલાની યાદીમાં 13માં સ્થાને હતા
ફોર્બ્સ અને ફોર્ચ્યુન મેગેઝિન દ્વારા ઈન્દ્રા નૂયીને સતત બે વાર વિશ્વની શક્તિશાળી મહિલાઓની યાદીમાં સામેલ કરાયા
ઈન્દ્રા નૂયીને વર્ષ 2006, 2007, 2008, 2009, અને 2010 સુધી સતત ફોર્ચ્યુન મેગેઝિનની મોસ્ટ પાવરફુલ વુમન (બિઝનેસ) ની યાદીમાં સ્થાન મળ્યુ.
ફોર્ચ્યુન મેગેઝિન દ્વારા વર્ષ 2015 અને 2017માં ઈન્દ્રા નૂયી સતત બે વાર સેકન્ડ મોસ્ટ પાવરફુલ મહિલાઓની યાદીમાં સામેલ થયા.
વર્ષ 2007માં ઈન્દ્રા નૂયીને ભારત સરકાર દ્વારા દેશના સૌથી પ્રતિષ્ઠિત પદ્મભૂષણ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા
ઈન્દ્રા નૂયીની કારકિર્દી
PepsiCo ના CEO બન્યા પહેલા શરૂઆતમાં ઈન્દ્રા નૂયી ભારતમાં જ્હોનસન એન્ડ જ્હોનસન, મોટોરોલા જેવી બ્રાન્ડ માટે કામ કરી ચુક્યા છે.
1994માં ઈન્દ્રા નૂયીએ PepsiCo જોઈન કર્યુ
1994 થી 1996 સુધી ઈન્દ્રા નૂયી PepsiCo ના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ પદે રહ્યા.
વર્ષ 2006 સુધી ઈન્દ્રા નૂયી PepsiCo સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ કોર્પોરેટ એન્ડ ડેવલપમેન્ટ પદે રહ્યા
વર્ષ 2006માં ઈન્દ્રા નૂયી PepsiCoના 5 માં CEO બન્યા. એ સમયે તેઓ PepsiCo ના 44 વર્ષના ઈતિહાસમાં CEO બનનારી 5મી વ્યક્તિ હતા.
PepsiCo ના CEO રહેતા તેમને ડઝનબંધ એવોર્ડ પણ મળ્યા. જેમા ભારત સરકાર દ્વારા પણ વર્ષ 2007માં તેમને ભારતના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ પદ્મભૂષણ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઈન્દ્રા નૂયીની પેપ્સિકો દ્વારા થયેલી કમાણી
જો ઈન્દ્રા નૂયીની કમાણીની વાત કરવામાં આવે બે વર્ષમાં તેમણે 500 થી 600 કરોડની કમાણી કરી. સરળ શબ્દોમાં સમજવાનો પ્રયાસ કરીએ તો વર્ષ 2015 થી 2017 વચ્ચે 87 મિલિયન ડોલર એટલે એ સમયે ડોલરની સરખામણીએ ઈન્ડિયન કરન્સી મુજબ તે 500 થી 600 કરોડ રૂપિયાની કમાણી થઈ.
ભારતને ગંદુ કહેનારા ઈન્દ્રા નૂયીને કેટલાક સવાલો
ઈન્દ્ર નૂયીએ વર્ષ 2016માં અમેરિકાની યેલ યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટને ગુપ્ત ડોનેશન રાશિ દાન કરી
હવે સવાલ એ પણ છે કે જે ભારતમાં ઈન્દ્રા નૂયીએ અભ્યાસ કર્યો તે ભારતની કોઈ સ્કૂલ કોલેજને શું આજ સુધી કોઈ દાન ડોનેશન આપ્યુ છે?
ઈન્દ્રા નૂયીએ IIM કેલકટા થી MBA કર્યુ, જેના કારણે તેમને વિદેશી કંપની PepsiCo માં હાયર પોસ્ટ પર જોબ મળી એ ભારતીય કોલેજ માટે ઈન્દ્રા નૂયીએ શું કર્યુ?
ઈન્દ્ર નૂયીનો જન્મ મદ્રાસ સ્ટેટ હાલના ચેન્નાઈમાં થયો હતો, તેમની જન્મભૂમિ માટે ઈન્દ્રા નૂયી એ શું કર્યુ, જન્મભૂમિની કઈ સમસ્યાનું સમાધાન ઈન્દ્રા નૂયીએ આપ્યુ?
જે ઈન્દ્રા નૂયીએ સોફ્ટ ડ્રીંક્સ (PEPSI)ને ભારતમાં અન્ય દેશની બજારો કરતા 5 થી 10 ગણી વધુ કિંમતે વેચી અને કંપની માટે અબજો-ખર્વો રૂપિયાની કમાણી કરી, એ ખુદ પણ 500 થી 600 કરોડ રૂપિયા કમાણા છે એ ભારત માટે તેમણે શું કર્યુ?
ઈન્દ્રા નૂયીએ વર્ષ 2011માં અમેરિકાની નાગરિક્તા મેળવી એ પહેલા તેઓ ભારતના જ સિટીઝન હતા, ભારતમાં જ ગ્રેજ્યુએશન અને MBA સહિતનો અભ્યાસ કર્યો એ ભારતભૂમિ માટે કેમ ક્યારેય કંઈ યોગદાન આપવાનું તેમને ન સૂજ્યુ?
જે ભારતે ઈન્દ્રા નૂયીને દેશના પ્રતિષ્ઠિત નાગરિક સન્માન પદ્મભૂષણ એવોર્ડ આપીને નવાજ્યા એ માતૃભૂમિનું ઋણ ચુકવવાનું કેમ તેમને ક્યારેય ન સૂજ્યુ?
વિશ્વની સૌથી શક્તિશાળી મહિલા હોવાના નાતે ઈન્દ્રા નૂયીએ દેશની કઈ સમસ્યાનું સમાધાન લાવવામાં તેમના અનુભવનું યોગદાન આપ્યુ?
ઈન્દ્રા નૂયીને ભારતે શું આપ્યુ?
ભારતની ભૂમિ પર જન્મ, નર્સરીથી લઈને માસ્ટર્સ સુધીનો અભ્યાસ, IIM કેલકટાની ડિગ્રી. આ ડિગ્રીના આધારે જ યેલ યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટમાં એડમિશન મળ્યુ. આ જ ભારતની ડિગ્રીના જોરે તેમણે વિદેશી કંપનીમાં જાયન્ટ કમાણી કરી. આ જ નોકરીના જોરે તેમણે વિદેશી સ્વીટ વોટર PEPSI ને ભારતના ઘરે- ઘરમાં પહોંચાડી. ઈન્દ્રા નૂયીએ ખુદને જ સવાલ કરવો જોઈએ કે જો ભારત એટલુ જ ગંદુ, અવ્યવસ્થિત અને રહેવાલાયક નથી તો અહીં બિઝનેસ કરીને તેની કંપનીને અને ખુદ તગડી કમાણી કેમ કરી? જે દેશે તેના સૌથી પ્રતિષ્ઠિત નાગરિક સન્માન પદ્મભૂષણથી નવાજ્યા એ ભારતની નાગરિક્તા છોડીને વિદેશી નાગરિક્તા મેળવી. ઈન્દ્રા નૂયી જેવી વ્યક્તિ એ લોકોમાંથી જે ક્યારેય કોઈના સગા નથી, દેશના પણ નહીં. માત્ર પૈસાના ભૂખ્યા છે. જો એમને દુનિયાના સૌથી પછાત કહેવાતા દેશો સુડાન, હૈતી, પાકિસ્તાન કે બાંગ્લાદેશ અમેરિકા કરતા વધુ પૈસા આપી દે તો એ અમેરિકાને પણ ગંદુ કહેશે અને અમેરિકાને છોડીને એ દેશોના સગા થઈ જશે. શું ઈન્દ્રા નૂયી જેવા લોકો કોઈ દેશના સગા હોઈ શકે?
અહીં સુજ્ઞ વાંચકોને પણ એટલો જ સવાલ છે કે શું ઈન્દ્રા નૂયીએ તેણે કરેલી દેશવિરોધી બકવાસ અંગે માફી માગવી જોઈએ? તમને શું લાગે છે? અમને જરૂરથી કોમેન્ટ કરીને જણાવશો..