Fact Check : શું ICMRએ કોરોનાથી બચવા જાહેર કરી છે 21 પોઇન્ટની એડવાઇઝરી

|

May 07, 2021 | 4:38 PM

ઈન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) એ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર સંદેશ શેર કરતા કહ્યું છે કે તે સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. તે અંગે અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આઇસીએમઆર દ્વારા આવી કોઈ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી નથી. આ સંદેશ સંપૂર્ણ રીતે બનાવટી અને ખોટો છે.

Fact Check : શું ICMRએ કોરોનાથી બચવા જાહેર કરી છે 21 પોઇન્ટની એડવાઇઝરી
શું ICMRએ કોરોનાથી બચવા જાહેર કરી છે 21 પોઇન્ટની એડવાઇઝરી

Follow us on

દેશમાં કોરોના વાયરસના વધતા કેસો વચ્ચે સોશિયલ મીડિયા પર સતત અનેક પ્રકારના દાવાઓ શેર કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) ના નામનો મેસેજ  ફેસબુક અને ટ્વિટર પર શેર કરવામાં આવી રહ્યો છે. આ મેસેજમાં 21 મુદ્દા આપવામાં આવ્યા છે. તેમાં કહેવામાં આવે છે કે આ 21 પોઇન્ટ્સ ICMR દ્વારા જાહેર કરવામાં આવ્યા છે, જેનામાં કોરોનાનો ચેપ અટકાવવા માટે માનવામાં આવી શકે છે. આ સંદેશ સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી ICMRદ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે તે સંપૂર્ણપણે બનાવટી મેસેજ છે.

મેસેજમાં શું કહેવામાં આવી રહ્યું છે 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સંદેશમાં 21 મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં જણાવાયું છે કે, આગામી 2 વર્ષ વિદેશ યાત્રા ન કરો, લગભગ 1 વર્ષ બહાર જમવા માટે ન જશો, સામાજિક અંતર જાળવો, શાકાહારી ખોરાક પર ધ્યાન આપો, તમારી ઇમ્યુનિટી વધારશો, બહારથી આવીને  સ્નાન કરો, સલૂન પર વિશેષ ધ્યાન આપો , આવતા 6 મહિના સુધી સિનેમા હોલ અથવા ગીચ જગ્યાઓ પર ન જશો . આ સંદેશમાં 21 આવા મેસેજ   આપવામાં  છે અને તેને મેસેજમાં  આઈસીએમઆરની  એડવાઇઝરી કહેવામાં આવી છે

મેસેજ પર આઈસીએમઆરએ શું કહ્યું

ઈન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) એ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર સંદેશ શેર કરતા કહ્યું છે કે તે સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. તે અંગે અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આઇસીએમઆર દ્વારા આવી કોઈ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી નથી. આ સંદેશ સંપૂર્ણ રીતે બનાવટી અને ખોટો છે.

દેશમાં કોરોના ચેપ સતત વધી રહ્યો છે. તેમજ કોરોનાના ચેપથી સાવચેતી રાખવી જરૂરી હોવાથી સોશિયલ મીડિયા પરના તમામ પ્રકારના વાયરલ સંદેશાઓ વિશે પણ સાવધ રહેવાની જરૂર છે. શુક્રવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4,14,188 નવા કેસ નોંધાયા છે અને 3,915 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસની સંખ્યા 36 લાખને પાર કરી ગઇ છે.

Published On - 4:30 pm, Fri, 7 May 21

Next Article