Eid Ul Fitr 2022 : ઈદના ચાંદના દીદાર થયા, આજે દેશભરમાં ઈદ-ઉલ-ફિત્રની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે

|

May 03, 2022 | 6:53 AM

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) સોમવારે એટલે કે ગઈકાલે સમગ્ર દેશવાસીઓને ઈદ-ઉલ-ફિત્રના એક દિવસ પહેલા શુભેચ્છા પાઠવી હતી, અને દરેકને સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે કામના પણ કરી હતી.

Eid Ul Fitr 2022 : ઈદના ચાંદના દીદાર થયા, આજે દેશભરમાં ઈદ-ઉલ-ફિત્રની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે
Eid Ul Fitr (File Photo)

Follow us on

સમગ્ર ભારતભરમાં (India) આજે ઈદ-ઉલ-ફિત્રનો (Eid-Ul-Fitr) તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવશે. ગત રવિવારે, દિલ્હી સહિત દેશના કોઈપણ ભાગમાં ઈદનો ચાંદ ન દેખાયો હતો. ત્યારે આજે સવારે ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. બીજી તરફ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) ગઈકાલે દેશવાસીઓને ઈદ-ઉલ-ફિત્રની શુભેચ્છા પાઠવી હતી, અને દરેકને સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવી હતી. તેમણે એક ટ્વીટમાં કહ્યું કે, ”ઈદ-ઉલ-ફિત્રની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ શુભ અવસર આપણા સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવના વધારે. હું દરેકને સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની કામના કરું છું.”

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ઈદ-ઉલ-ફિત્રની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેમના અભિનંદન સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, ”ઈદ-ઉલ-ફિત્રના અવસર પર હું તમામ દેશવાસીઓને, ખાસ કરીને મુસ્લિમ ભાઈઓ અને બહેનોને હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ આપું છું. ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર પવિત્ર રમઝાન માસ દરમિયાન ઉપવાસ અને વિશેષ નમાજ અદા કર્યા પછી ઉજવવામાં આવે છે. ઈદ રોજેદારોમાં ભાઈચારા અને દાનની ભાવનાનો સંચાર કરે છે. આ દરમિયાન ગરીબોમાં ભોજન, ભોજન વિતરણને વિશેષ મહત્વ આપવામાં આવે છે. આ તહેવાર લોકોને સુમેળભર્યા, શાંતિપૂર્ણ અને સમૃદ્ધ સમાજના નિર્માણ માટે પ્રયત્નો કરવાની પ્રેરણા આપે છે.”

ઈદને લઈને જામા મસ્જિદ વિસ્તારમાં ખરીદદારોની ભારે ભીડ જોવા મળી હતી

બીજી તરફ બે વર્ષ બાદ ઈદ પહેલા ગત રવિવારે સાંજે દિલ્હીના જામા મસ્જિદ વિસ્તારમાં ખરીદદારોની ભારે ભીડ જોવા મળી હતી. સ્થાનિક લોકો તેમજ શહેરના અન્ય ભાગોમાંથી લોકો ખાદ્યપદાર્થો, કપડાં અને જૂતા ખરીદવા માટે જામા મસ્જિદની આસપાસના બજારોમાંની દુકાનો પર એકઠા થયા હતા. ચિટલી કાબર બજારના એક સ્થાનિક દુકાનદારે જણાવ્યું કે, ”છેલ્લા 2 વર્ષમાં કોવિડ-19 મહામારીને કારણે લોકો ઈદની ઉજવણી કરી શક્યા નથી. આ વર્ષે મોટાભાગના કોવિડ-19 પ્રતિબંધો હટાવવામાં આવ્યા છે, તેથી તેઓ ઈદના તહેવાર માટે સામગ્રી ખરીદી રહ્યા છે.”

‘લોકો પહેલાની જેમ ઈદની ખરીદીમાં પૈસા ખર્ચી રહ્યા નથી’

જો કે, અન્ય દુકાનદારે એમ પણ કહ્યું હતું કે, ”ખરીદદારો કોવિડ-19 પહેલા જે રીતે પૈસા ખર્ચતા હતા તે રીતે પૈસા ખર્ચતા નથી. એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે, ઉપવાસ તોડવા માટે ભોજન સામગ્રી ખરીદનારા લોકોના કારણે ભીડ પણ વધી હતી. જો કે, છેલ્લા કેટલાક દિવસોમાં રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ- 19ના નવા કેસોમાં વધારો થયો હોવા છતાં, ઘણા દુકાનદારો તેમજ ખરીદદારો માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા. દિલ્હી સરકારે કોવિડને લગતા લગભગ તમામ નિયંત્રણો હટાવી લીધા છે, પરંતુ કોરોનાના ચેપની સંખ્યામાં વધારાને જોતા, ગયા મહિને માસ્ક પહેરવાનો નિયમ ફરીથી લાગુ કરવામાં આવ્યો છે.”

આ પણ વાંચો – વર્ષ 2014ની આજુબાજુ દેશમાં 200-400 સ્ટાર્ટઅપ્સ હતા, આજે 68,000થી પણ વધારે સ્ટાર્ટઅપ્સ: વડાપ્રધાન મોદી

Next Article