Train Accident : પાટા પરથી ઉતરી ગયા 12 ડબ્બા, એસી કોચની બારીઓના કાચ તોડી લોકો બહાર આવી રહ્યા છે

|

Jul 18, 2024 | 4:58 PM

ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. ડિબ્રુગઢ એક્સપ્રેસના અંદાજે 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ ટ્રેન ચંદીગઢથી ગોરખપુર જઈ રહી હતી. ત્યારે આ અકસ્માત થયો હતો.

Train Accident : પાટા પરથી ઉતરી ગયા 12 ડબ્બા, એસી કોચની બારીઓના કાચ તોડી લોકો બહાર આવી રહ્યા છે

Follow us on

ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. ડિબ્રુગઢ એક્સપ્રેસના લગભગ 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ ટ્રેન ચંદીગઢથી ગોરખપુર જઈ રહી હતી. ત્યારે આ અકસ્માત થયો હતો. ગોંડા જિલ્લાના ઝિલાહી અને મોતીગંજ રેલવે સ્ટેશન વચ્ચે આ અકસ્માત થયો હતો. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મુસાફરોમાં કોઈ જાનહાનિ અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. રેલવેના તમામ વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

 

 

સીએમે ઘટના સ્થળે હાજર થવાનો આદેશ આપ્યો

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ગોંડામાં થયેલી ટ્રેન અકસ્માત અંગે માહિતી મેળવી રહ્યા છે. તેમણે જિલ્લા પ્રશાસનના અધિકારીઓને ઘટના સ્થળે હાજર થવાનો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાનો પણ આદેશ આપ્યો છે. હાલમાં તો ઘટના સ્થળે ગોંડા જિલ્લા પ્રશાસન અને ગોરખપુર રેલવેના અધિકારીઓ પહોંચી રહ્યા છે.

 

 

રેલવેએ હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

ટ્રેન અકસ્માતને લઈ હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. ડિબ્રૂગઢ 9957555960

 

ગંભીર ટ્રેન અકસ્માત

17 જૂનના રોજ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં વહેલી સવારે એક ગંભીર ટ્રેન અકસ્માત સર્જાયો હતો. રંગાપાની સ્ટેશન પાસે ઉભેલી કંચનજંગા એક્સપ્રેસ ટ્રેનને માલગાડીએ પાછળથી ટક્કર મારતા ટ્રેનના 3 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં કેટલાક યાત્રિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જ્યારે 30થી વધુ લોકો ઈજાગ્રસ્તા થયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે,ટ્રેનની બોગીઓ હવામાં લટકી રહી હતી.

મુસાફરી પૂરી ન થાય ત્યાં સુધી ટિકિટની તમારી પાસે રાખો

ટ્રેનમાં મુસાફરી કરવા માટે સૌથી મહત્વની વસ્તુ ટ્રેનની ટિકિટ છે. જો તમે અથવા તમારી નજીકની કોઈ વ્યક્તિ ટ્રેનમાં મુસાફરી કરી રહી હોય, તો મુસાફરી પૂરી ન થાય ત્યાં સુધી ટિકિટની માહિતી તમારી પાસે રાખો. કારણ કે જો કોઈ કારણોસર ટ્રેન દુર્ઘટના થાય છે તો વળતર માટે આ તમામ દસ્તાવેજોની જરૂર પડશે.જો તમે વળતર માટે અરજી કરવા માંગો છો, તો તમારે IRCTCની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. અહીં સૌથી પહેલા ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરની તમામ વિગતો ભરવાની રહેશે. આ સમય દરમિયાન, તમારી પાસે મુસાફરીની ટિકિટ અને દસ્તાવેજો વિશે પણ માહિતી હોવી જોઈએ.

Published On - 3:51 pm, Thu, 18 July 24

Next Article