અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે રજા આપવાની માંગ, VHPએ કહ્યું: ગુજરાત કરે સૌથી પહેલા શરૂઆત

અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ મંદિરમાં રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશ-વિદેશના અનેક સંતો અને અન્ય હસ્તીઓ હાજર રહી હતી. આ બધા વચ્ચે ગુજરાત VHPએ સરકાર સમક્ષ માંગ મૂકી છે.

અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે રજા આપવાની માંગ, VHPએ કહ્યું: ગુજરાત કરે સૌથી પહેલા શરૂઆત
| Updated on: Jan 01, 2024 | 11:46 AM

અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરમાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. એક 108 ફૂટ લાંબી અગરબત્તી, જે અભિષેક પ્રસંગે પ્રગટાવવામાં આવવાની છે, તે પણ ગુજરાતના વડોદરા શહેરમાંથી રવાના કરવામાં આવી છે. આ પછી વડોદરાથી અયોધ્યા માટે એક વિશાળકાય દીપ પણ મોકલવામાં આવશે.

આ બધા વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ ગુજરાત સરકાર સમક્ષ માંગણી કરી છે. આમાં VHPએ રામ મંદિર નિર્માણમાં ગુજરાતના યોગદાનને રેખાંકિત કર્યું છે અને કહ્યું છે કે અયોધ્યામાં અભિષેકના દિવસે એટલે કે 22 જાન્યુઆરીએ રાજ્યમાં રજા જાહેર કરવામાં આવવી જોઈએ.

સ્વામીનારાયણ સંપ્રદાયે પણ આપ્યો ટેકો

VHPના વરિષ્ઠ નેતા અશોક રાવલે જણાવ્યું હતું કે અમે ઇચ્છીએ છીએ કે ગુજરાત સમગ્ર દેશમાં આ પહેલ કરે અને આ દિવસે તમામ શાળાઓ, કોલેજો અને ઓફિસો બંધ રાખવામાં આવે, જેથી દરેક અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા લાઈવ જોઈ શકે. વિશ્વ હિન્દુ પરિષદની માંગને ગુજરાતના શક્તિશાળી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો.

સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોએ કહ્યું છે કે જો આમ થશે તો આવનારી પેઢીઓ આ પ્રસંગના સાક્ષી બની શકશે. સંતોનું કહેવું છે કે આ અવસરે શક્ય તેટલી વધુ જગ્યાએ પ્રાણ પ્રતિષ્ઠા લાઈવ બતાવવાની વ્યવસ્થા કરવી જોઈએ. સરકાર દ્વારા કાર્યક્રમો યોજવા જોઈએ. VHP નેતા અશોક રાવલે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે હું વિશ્વ હિંદુ પરિષદ વતી સરકાર પાસે રજા જાહેર કરવાની માંગ કરીશ. 22મી જાન્યુઆરી સોમવાર છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલ અયોધ્યા ગયા હતા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગયા મહિને અયોધ્યા ગયા હતા. આ પછી ભૂપેન્દ્ર પટેલ બાદમાં જાપાન અને સિંગાપોરના પ્રવાસે રવાના થયા હતા. અયોધ્યાની મુલાકાત દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલે ત્યાં તીર્થ નિવાસ બનાવવાની જાહેરાત કરી હતી. તેમની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ ગુજરાત અને દેશની સુખ-સમૃદ્ધિ માટે પણ શુભેચ્છા પાઠવી હતી.

એવી અટકળો છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અભિષેક કાર્યક્રમમાં હાજરી આપશે, જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આ પણ વાંચો: રામ મંદિર: હનુમાન ચાલીસા સાથે અયોધ્યાની પ્રથમ ફ્લાઈટે ભરી ઉડાન, પાયલટે લગાવ્યા જય શ્રી રામના નારા, જુઓ વીડિયો

Published On - 11:36 am, Mon, 1 January 24

Follow Us