Delhi : મંડોલી જેલમાં 25 કેદીઓએ જેલની દિવાલ અને સળિયા પર માથું અથડાવી પોતાને ઘાયલ કર્યા

|

Sep 28, 2021 | 1:04 PM

દિલ્હીની મંડોલી જેલની બેરેક નંબર 11 માં, કેદીઓએ દિવાલ અને સળિયા પર માથું અથડાવી અને પોતાને ઘાયલ કર્યા. હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ એક કેદીને જેલમાં પરત લાવવામાં આવ્યો છે.

Delhi : મંડોલી જેલમાં 25 કેદીઓએ જેલની દિવાલ અને સળિયા પર માથું અથડાવી પોતાને ઘાયલ કર્યા
Delhi - Mandoli Jail

Follow us on

દિલ્હીની રોહિણી કોર્ટમાં ગોળીબાર બાદ મંગળવારે દિલ્હીની મંડોલી જેલમાં કેદીઓએ પોતાને ઘાયલ કર્યા છે. લગભગ 25 કેદીઓ ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, મંડોલી જેલની બેરેક નંબર 11 માં કેદીઓએ દિવાલ અને સળિયા પર માથું માર્યું અને પોતાને ઈજા કરી. હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ એક કેદીને જેલમાં પરત લાવવામાં આવ્યો છે.

જેલના સૂત્રોના જણાવ્યા અનુસાર બે કેદીઓ જેલ વોર્ડની બહાર જવા માંગતા હતા. જ્યારે તેને જેલ વહીવટીતંત્ર દ્વારા પરવાનગી આપવામાં આવી ન હતી, ત્યારે તેણે પોતાની જાતને ઇજા પહોંચાડી અને અન્ય કેદીઓને પણ ઉશ્કેર્યા.

તિહાર જેલ પ્રશાસન અનુસાર, મંડોલી જેલમાં બંધ બે કેદી અનિશ અને દાનિશ તેમના વોર્ડની બહાર જવા માંગતા હતા પરંતુ ગેંગ વોરના ભયને કારણે સુરક્ષા કારણોસર તેમને બહાર આવવાની ના પાડી દેવામાં આવી હતી. ત્યારબાદ બંને કેદીઓ ગુસ્સે થયા અને તેણે દિવાલ પર માથું માર્યું. તેને જોયા બાદ અન્ય કેદીઓએ પણ પોતાને ઘાયલ કર્યા.

ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024
ભારતનું આ ગામ કે જ્યાં ભૂતોની થાય છે પૂજા ! જાણો શું છે કારણ
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી

દિલ્હી કોર્ટ સંકુલમાં સુરક્ષા અરજી પર 29 સપ્ટેમ્બરે સુનાવણી

દિલ્હી હાઇકોર્ટે સોમવારે કહ્યું હતું કે, તે 29 સપ્ટેમ્બરે અહીં કોર્ટ પરિસરમાં સુરક્ષાને લગતી અરજી પર સુનાવણી કરશે. તાજેતરમાં જ રાષ્ટ્રીય રાજધાનીમાં કોર્ટ સંકુલમાં ફાયરિંગની ઘટના બની હતી જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. ચીફ જસ્ટિસ ડી.એન. પટેલ અને જસ્ટિસ જ્યોતિ સિંહની બેન્ચ સમક્ષ એડવોકેટ રિચા સિંહે કહ્યું કે તેમણે 2019 થી પેન્ડિંગ અરજી પર વહેલી સુનાવણી માટે અરજી કરી છે અને કોર્ટ પરિસરમાં વધુ સારી સુરક્ષા વ્યવસ્થાની માગ કરી છે.

અરજીમાં ખાસ કરીને ગયા અઠવાડિયે રોહિણી કોર્ટ સંકુલમાં ફાયરિંગની ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેમાં ત્રણ લોકો માર્યા ગયા હતા. સિંહે કહ્યું કે, હાઇકોર્ટની રજિસ્ટ્રી દ્વારા પ્રતિ-સોગંદનામું દાખલ કરવામાં આવ્યું છે અને તેમાં પરિસ્થિતિમાં ક્ષતિઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ માટે જસ્ટિસ પટેલે કહ્યું, તમારી અરજી પર બુધવારે સુનાવણી થશે.

રોહિણીના કોર્ટ રૂમમાં ગોળીઓ ચલાવવામાં આવી હતી

24 સપ્ટેમ્બરના રોજ રોહિણીના કોર્ટ રૂમમાં ફાયરિંગની ઘટનામાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને વકીલાતની પ્રેક્ટિસ કરતી એક મહિલા ઘાયલ થઈ હતી. ગેંગસ્ટર જીતેન્દ્ર ગોગીને શુક્રવારે રોહિણી કોર્ટમાં વકીલના વેશમાં આવેલા બે હુમલાખોરોએ ગોળી મારી હત્યા કરી હતી. પોલીસ દ્વારા જવાબી કાર્યવાહીમાં બંને હુમલાખોરો પણ માર્યા ગયા હતા.

 

આ પણ વાંચો : કુદરતી આપત્તિ સામે લોકોને સુરક્ષિત રાખવા દેશભરમાં આપદા મિત્ર બનાવાશે, કોમન એલર્ટ પ્રોટોકોલ અમલમાં લવાશેઃ અમિત શાહ

આ પણ વાંચો : દેશના 14 રાજ્યોની ત્રણ લોકસભા અને 30 વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની જાહેરાત, 30 ઓક્ટોબરે મતદાન, 2 નવેમ્બરે મતગણતરી

Next Article