દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને મોદી સરકારમાં પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનું તબિયત સારી ન હોવાના કારણે દિલ્હીની AIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાત્રે 11 વાગ્યાને 18 મિનિટે AIMS દ્વારા તેમના નિધનની જાણકારી આપવામાં આવી હતી.હ્રદય રોગના હુમલાના કારણે તેમનું 67 વર્ષની વયે નિધન થયું.
આ પણ વાંચો: દિલ્હીની AIMS ખાતે સુષમા સ્વરાજે અંતિમ શ્વાસ લીધા, 3 વાગ્યે તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર થશે
તેમના પાર્થિવ દેહને AIMSથી તેમના નિવાસ સ્થાન પર લઈ જવાયો છે. 11 વાગ્યા સુધી તેમના પાર્થિવ દેહને નિવાસ સ્થાન પર રાખવામાં આવશે ત્યાર બાદ 12 વાગ્યે ITO સ્થિત BJP કાર્યાલય પર લાવવામાં આવશે. હાલ BJP તેમજ અન્ય પાર્ટીના નેતાઓ તેમના નિવાસ સ્થાને તેમના અંતિમદર્શન માટે પહોંચી રહ્યાં છે. ગઈકાલ રાત્રી દરમિયાન પણ કેટલાક નેતાઓ પહોંચ્યા હતા.શીવરાજ ચૌહાણ અને સવારે 6 વાગ્યે માયાવતી પણ તેમના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
[yop_poll id=”1″]
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો