Delhi: હનુમાન મંદિરની ગ્રીલ તોડવાનો હિન્દુ સંગઠનોએ વિરોધ કર્યો, જય શ્રી રામના નારા લગાવ્યા, જુઓ Video

|

Jun 22, 2023 | 2:27 PM

ગુરુવારે સવારે PWD જ્યારે મંદિરની આસપાસની લોખંડની જાળી તોડવા પહોંચી ત્યારે હિન્દુ સંગઠને તેનો વિરોધ શરૂ કર્યો હતો. વિરોધને ધ્યાનમાં રાખીને સ્થળ પર ભારે સુરક્ષા દળ તૈનાત કરવામાં આવ્યું છે. PWDએ વહીવટીતંત્રને જાણ કરી હતી કે તે ફૂટપાથ પર અતિક્રમણ કરીને મંદિર બનાવવામાં આવ્યું છે.

Delhi: હનુમાન મંદિરની ગ્રીલ તોડવાનો હિન્દુ સંગઠનોએ વિરોધ કર્યો, જય શ્રી રામના નારા લગાવ્યા, જુઓ Video
Delhi News

Follow us on

Delhi News: રાજધાની દિલ્હીના (Delhi) મંડાવલી અલ્લા કોલોની ચોકમાં બનેલા હનુમાન મંદિરની આસપાસની લોખંડની જાળી તોડવાનો વિરોધ શરૂ થયો છે. ગુરુવારે સવારે PWD જ્યારે મંદિરની આસપાસની લોખંડની જાળી તોડવા પહોંચી ત્યારે હિન્દુ સંગઠને તેનો વિરોધ શરૂ કર્યો હતો. વિરોધને ધ્યાનમાં રાખીને સ્થળ પર ભારે સુરક્ષા દળ તૈનાત કરવામાં આવ્યું છે. વાસ્તવમાં મંડાવલી વિસ્તારમાં અલ્લા કોલોનીમાં હનુમાન મંદિર બનાવવામાં આવ્યું છે. PWDએ વહીવટીતંત્રને જાણ કરી હતી કે તે ફૂટપાથ પર અતિક્રમણ કરીને બનાવવામાં આવ્યું છે.

લોકો એકઠા થયા અને જય શ્રી રામના નારા લગાવ્યા

આ પછી જ્યારે પ્રશાસન આજે સવારે મંદિરની આસપાસ બનેલી લોખંડની જાળી તોડવા પહોંચ્યું તો હિન્દુ સંગઠને વિરોધ શરૂ કર્યો. મોટી સંખ્યામાં લોકો એકઠા થયા અને જય શ્રી રામના નારા લગાવવા લાગ્યા. વહીવટીતંત્રનું કહેવું છે કે તેઓ મંદિર તોડવા માટે નહીં પરંતુ મંદિરની આસપાસની ગેરકાયદે લોખંડની જાળી તોડવા આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

 

 

PWD મંત્રી આતિશીએ LGને જવાબદાર ગણાવ્યા

મંદિર મામલે PWD મંત્રી આતિશીએ TV9 ભારતવર્ષ સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે, મંડાવલીમાં મંદિર તોડી પાડવામાં આવી રહ્યું છે. આ સિવાય દિલ્હી LGએ 10 વધુ મંદિરોને તોડી પાડવાનો આદેશ આપ્યો છે, જ્યારે આ ફાઇલ મનીષ સિસોદિયા પાસે આવી ત્યારે તેમણે ફાઇલ પર લખ્યું હતું કે કોઈ પણ ધાર્મિક સ્થળને તોડવામાં ન આવે, પરંતુ લેફ્ટનન્ટ ગવર્નરે તેને બાયપાસ કરીને નિર્ણય લીધો છે.

આ પણ વાંચો : Manipur Violence: હિંસાનાં 50 દિવસ બાદ પણ નથી સુધરી સ્થિતિ, સ્કોર્પિયોમાં બ્લાસ્ટ થતા 3 લોકો ઘાયલ

આતિશીએ કહ્યું કે આમ આદમી પાર્ટી તેનો સંપૂર્ણ વિરોધ કરી રહી છે અને હું લેફ્ટનન્ટ ગવર્નરને પણ વિનંતી કરીશ. બીજી તરફ પૂર્વ દિલ્હીના ડીસીપી અમૃતા ગુગુલોથે કહ્યું કે અમને PWD તરફથી માહિતી મળી હતી કે મંદિરની આસપાસની ગ્રીલ ફૂટપાથ પર અતિક્રમણ કરવામાં આવી છે. તેને દૂર કરવા અમારી પાસે મદદ માંગવામાં આવી હતી, અમે મદદ કરી છે. ગ્રીલ દૂર કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા સામાન્ય છે અને ટ્રાફિક પણ સુવ્યવસ્થિત રીતે ચાલી રહ્યો છે.

આ મંદિર ઘણા વર્ષોથી બનેલું છે

મંદિરમાં હાજર સ્થાનિક રહેવાસીઓ અને ભક્તોનું કહેવું છે કે આ મંદિર ઘણા વર્ષોથી બનેલું છે, આજ સુધી કોઈએ કહ્યું નથી કે અહીં કોઈ ગેરકાયદે બાંધકામ થયું છે. વહીવટીતંત્રની કાર્યવાહીને ખોટી ગણાવી રહીશો ગેરકાયદે બાંધકામ તોડવાનો વિરોધ કરી રહ્યા છે અને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article