DCGIની નિષ્ણાત સમિતિએ કોવિશિલ્ડ અને કોવેક્સિનને ખુલ્લા બજારમાં વેચવાની કરી ભલામણ- સૂત્ર

|

Jan 19, 2022 | 11:15 PM

DCGI ની નિષ્ણાત સમિતિએ શુક્રવારે Covaxin અને Covishield ની સંપૂર્ણ માર્કેટિંગ મંજૂરી માટે ભારત બાયોટેક અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાની અરજીઓની સમીક્ષા કરી હતી.

DCGIની નિષ્ણાત સમિતિએ કોવિશિલ્ડ અને કોવેક્સિનને ખુલ્લા બજારમાં વેચવાની કરી ભલામણ- સૂત્ર
Recommendation to sell Covishield and Covaccine in the open market

Follow us on

DCGI ની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી (SEC) એ કોવિશિલ્ડ (Covishield) અને કોવેક્સીનના (Covaccine) ખુલ્લા બજારમાં વેચાણની ભલામણ કરી છે. માહિતી અનુસાર, DCGIની નિષ્ણાત સમિતિએ શુક્રવારે કોવેક્સિન અને કોવિશિલ્ડની સંપૂર્ણ માર્કેટિંગ મંજૂરી માટે ભારત બાયોટેક અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાની અરજીઓની સમીક્ષા કરી હતી. જે બાદ હવે સૂત્રોને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે સમિતિએ કોવિશિલ્ડ અને કોવેક્સિનને ઓપન માર્કેટમાં વેચવાની ભલામણ કરી છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટે ગયા વર્ષે ડિસેમ્બરમાં કોવીશિલ્ડ રસી માટે સંપૂર્ણ માર્કેટિંગ મંજૂરી માટે અરજી કરી હતી, જ્યારે ભારત બાયોટેકે પણ થોડા સમય પહેલા કોવેક્સીનના સંપૂર્ણ માર્કેટિંગ માટે અરજી કરી હતી.

સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઇઓ અદાર પૂનાવાલાએ ટ્વિટર પર કહ્યું હતું કે, ભારત સરકાર પાસે હવે પૂરતો ડેટા છે કે તે સંપૂર્ણ બજાર અધિકૃતતા પર વિચાર કરી શકે.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

કોવિશિલ્ડ અને ભારત બાયોટેકના કોવેક્સિનનો (Covaxin)  ઉપયોગ હાલમાં દેશના કોરોના રસીકરણ (Corona Vaccination) અભિયાનમાં થઈ રહ્યો છે.

તે જ સમયે, ભારત બાયોટેકે આ પહેલા કહ્યું હતું કે તેમની કોવેક્સીન (COVAXIN) હવે પુખ્ત વયના લોકો અને બાળકો માટે એક જ રસી તરીકે ઉપયોગ કરી શકાય છે. કંપની સાથે સંકળાયેલા અધિકારીઓએ કહ્યું હતું કે અમે કોરોના સામે વૈશ્વિક રસી વિકસાવવા માટે જે રિઝોલ્યુશન લીધું હતું તે પૂર્ણ થયું છે. આ રસી બનાવવા અને લાઇસન્સ આપવાની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે.

ભારત બાયોટેકની ‘કોવેક્સિન’ કોવિડ-19 સામે 77.8 ટકા અસરકારક સાબિત થઈ છે. આ રસી ડેલ્ટા વેરિઅન્ટ સામે 65.2% અસરકારક છે અને તમામ પ્રકારના કોરોના વાયરસ સામે 70.8 ટકા અસરકારક છે, જે દેશમાં કોવિડ-19ની બીજી લહેર દરમિયાન સૌથી વધુ અસરકારક હતી. માહિતી અનુસાર, દેશમાં નિર્મિત આ રસી કોવિડ-19ના ગંભીર લક્ષણો સામે 93.4 ટકા અસરકારક છે.

સગર્ભા મહીલાઓ માટે સુરક્ષીત છે વેક્સીન ? જાણો શું કહે છે ડોક્ટર

સરકારી ડેટા અનુસાર, માત્ર 2.78 કરોડ ડોઝ ગર્ભવતી મહિલાઓને 15 જાન્યુઆરી સુધી આપવામાં આવ્યા છે. 1.59 કરોડને પ્રથમ ડોઝ મળ્યો છે અને 1.19 કરોડે બંને ડોઝ લીધા છે. સગર્ભા વસ્તીમાં રસીકરણ પર છૂટાછવાયા ડેટા ઉપલબ્ધ છે. જાહેર ડોમેનમાં ઉપલબ્ધ છેલ્લો રાજ્ય મુજબનો ડેટા સપ્ટેમ્બર-ઓક્ટોબર 2021 નો છે. ગર્ભવતી મહિલાઓને જલ્દીથી જલ્દી વેક્સિનેટ કરવાની જરૂર છે કારણ કે તેઓને સંક્રમણ થવાના ચાન્સ ખૂબ વધુ હોય છે. જો આની કાળજી લેવામાં ન આવે તો સમસ્યાઓ વધી શકે છે.

Published On - 11:14 pm, Wed, 19 January 22

Next Article