કોરોના વાયરસના વધતા ખતરાની વચ્ચે દેશમાં 21 દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટેની સલાહ આપવામાં આવી રહી છે. આ નિયમનું પાલન જાતે વડાપ્રધાન મોદી પણ કરી રહ્યા છે. વડાપ્રધાન આવાસ પર બોલાવવામાં આવેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં તમામ મંત્રી લગભગ એક-એક મીટર દુર બેઠા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
કોરોના વાયરસથી જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે વડાપ્રધાન મોદીએ તેમના આવાસ પર કેબિનેટની બેઠક બોલાવી. આ દરમિયાન તમામ મંત્રીઓની ખુરશીને એક-એક મીટર દુર મુકવામાં આવી. જેથી સોશિયલ ડિસ્ટન્સિંગને મેઈન્ટેન કરવામાં આવી શકે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: VIDEO: લોકડાઉનની સ્થિતિને પગલે નવસારી જિલ્લામાં કડકાઈથી પાલન કરાવવા પોલીસ કામે લાગી