Coronavirus Update : કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે આજે રાત્રે 8 વાગ્યાથી સોમવાર સવાર 6 વાગ્યા સુધી જમ્મુ-કાશ્મીરમાં સાપ્તાહિક કર્ફયૂ લગાવવામાં આવી રહ્યું છે. સાપ્તાહિક કર્ફ્યૂ દરમિયાન આવશ્યક અને આપાતાકાલીન સેવાઓની અનુમતિ આપવામાં આવશે, પરંતુ અન્ય બધા બજાર અને વાણિજ્યક સંસ્થા બંધ રહેશે. એલજી કાર્યાલયે આ વાતની જાણકારી આપી છે.
જમ્મુ અને કાશ્મીરમાં એલજી મનોજ સિન્હાના કાર્યાલય અનુસાર કોરોના વાયરસના પ્રકોપને રોકવા માટે શનિવારથી 34 કલાક સુધી કર્ફ્યૂની ઘોષણા કરવામાં આવી. કર્ફ્યૂ દરમિયાન આવશ્યક અને આપાતકાલીન વસ્તુઓની અનુમતિ આપવામાં આવશે. પરંતુ અન્ય બજાર અને વાણિજ્યક સંસ્થાઓ બંધ રહેશે.
કેન્દ્ર શાસિત પ્રદેશમાં કર્ફ્યૂ 24 એપ્રિલ રાત 8 વાગ્યથી 26 એપ્રિલ સવારે 6 વાગ્યા સુધી લગાવવામાં આવશે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોરોનાના કેસની સંખ્યા 1 લાખ 58 હજારથી વધારે થઇ ગઇ છે. જમ્મૂ જિલ્લામાં સૌથી વધારે કોવિડ કેસની સંખ્યા 525 નોંધવામાં આવી છે. શ્રીનગરમાં 501 અને બડગામમાં શુક્વારે 156 કેસ નોંધાયા છે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં સક્રિય કેસની સંખ્યા 17 હજાર છે.
કોંગ્રેસ પાર્ટીએ જમ્મુ અને કાશ્મીરમાં કોવિડ-19 સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી. રસીકરણની પ્રક્રિયામાં તેજી લાવવા અને કોરોનાવાયરસ મહામારીને સંભાળવાના પ્રયાસ કરવા માટેનું પણ આહ્વાન કર્યુ છે. વાયરસની બીજી લહેરે મુશ્કેલી વધારી દીધી છે. આજે દેશમાં કોરોનાના 3 લાખ 46 હજાર 786 કેસ સામે આવ્યા. અહી 2 હજાર 624 લોકોના મૃત્યુ થયા .