Coronavirus Update : કેન્દ્ર વેક્સીન ખરીદે અને રાજ્યોને વિતરણની જવાબદારી આપે

|

May 14, 2021 | 5:15 PM

Coronavirus Update :  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર પર નિશાનો સાધતા વેક્સીનનીતિની આલોચના કરી. તેમણે કહ્યુ કે કેન્દ્ર સરકારની વેક્સીન નીતિ સમસ્યાને વધારે બગાડી રહી છે. ભારત આને સહન ન કરી શકે તેમણે કહ્યુ કે કેન્દ્ર સરકાર વેક્સીન ખરીદે અને વહેંચણીની જવાબદારી રાજ્યોને આપી દે.

Coronavirus Update : કેન્દ્ર વેક્સીન ખરીદે અને રાજ્યોને વિતરણની જવાબદારી આપે
Rahul Gandhi (File Image)

Follow us on

Coronavirus Update :  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર પર નિશાનો સાધતા વેક્સીનનીતિની આલોચના કરી. તેમણે કહ્યુ કે કેન્દ્ર સરકારની વેક્સીન નીતિ સમસ્યાને વધારે બગાડી રહી છે. ભારત આને સહન ન કરી શકે તેમણે કહ્યુ કે કેન્દ્ર સરકાર વેક્સીન ખરીદે અને વહેંચણીની જવાબદારી રાજ્યોને આપી દે.

રાહુલ ગાંધીએ ટ્વીટમાં કહ્યુ કેન્દ્ર સરકાર વેક્સીન નીતિ સમસ્યાને વધારે બગાડી રહી છે. જો ભારત સહન ન કરી શકે. વેક્સીનની ખરીદી કેન્દ્રએ કરવી જોઇએ અને વિતરણની જવાબદારી રાજ્યોને આપી જેવી જોઇએ.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

મહત્વપૂર્ણ છે કે કોરોના અને મેડિકલ સુવિધાઓને લઇ રાહુલ ગાંધી સતત સરકારને વિટનેસ બોક્સમાં ઉભા કરી રહ્યા છે. ગુરુવારે પોતાની  એક ટ્વીટમાં તેમણે કહ્યુ કે જ્યારે કોઇ દેશ સંક્ટનો સામનો કરે છે,તો સરકારે પોતાને પૂછવું જોઇએ કે શું તેઓ લોકો પાસેથી લઇ રહ્યા છે કે તેમને આપી રહ્યા છે. આ મદદગાર છે કે હાનિકારક છે. પરંતુ ભારત સરકારે પોતાના કર્તવ્યોને પૂરા કર્યા નથી. એટલે જ લોકોએ જરુર પડે તો સાથે આવવું જોઇએ ભારત એકજુટ છે.

વેક્સિન અને ઓક્સિજનની અછતને લઇ પ્રધાનમંત્રી મોદી પર નિશાનો સાધતા તેમણે કહ્યુ તે વેક્સીન ઓક્સિજન અને દવાઓ સાથે PM પણ ગાયબ છે. બચ્યા છે તો સેન્ટ્રલ વિસ્ટા,દવાઓ પર GST અને અહીંય-ત્યાં PMના ફોટો.

કેટલાક રાજ્યોમાં કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ અત્યારે વાયરસનો ખતરો ટળ્યો નથી. કેટલાક દિવસોથી આ વાયરસન કારણે ચાર હજાર લોકોના મૃત્યુ થઇ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3 લાખ 43 હજાર 144 નવા કેસ સામે આવ્યા અને ચાર હજાર લોકોનો જીવ ચાલ્યો ગયો. દેશમાં એક્ટિવ કેસ એટલે કે ઇલાજ કરાવી રહેલા દર્દીઓની સંખ્યા 37લાખ 4હજાર 893 છે અને અત્યાર સુધી કુલ 2 લાખ 62 હજાર 317 લોકોના મૃત્યુ થઇ ચૂક્યા છે.

.

Next Article