કોરોના વાઈરસની દહેશત વચ્ચે ભારતમાં એક વ્યક્તિનું શંકાસ્પદ મોત નિપજ્યું છે. લેહના ચોચુક ગામના 73 વર્ષીય અલી મહોમ્મદ શંકાસ્પદ હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં તાવની તિવ્રતા વધતા, તેમનું રવિવારે મોત નિપજ્યું હતું.
આ પણ વાંચો: VIDEO: જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યું ડાકોર, ફાગણી પૂનમને ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ
મહત્વનું છે કે વિશ્વમાં ફાટી નિકળેલા કોરોનાના કહેર બાદ ભારતમાં પણ હકારાત્મક કેસોની સંખ્યા સતત વધી છે. જેને જોતા લદ્દાખની સોનમ નોર્બુ હોસ્પિટલમાં વૃદ્ધને સારવાર માટે ખસેડાયા હતા. જોકે શંકાસ્પદ સંજોગામાં તેમનું મોત નિપજ્યું છે. મહત્વનું છે કે આ કેસને કોરોના વાઈરસના ચેપની અસરથી પણ જોવામાં આવી રહ્યો છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મૃતક અલી મહોમ્મદ કોરોના કેસના પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં હતા. આ ઉપરાંત એરપોર્ટ પર તેમનું ચેકિંગ કરાવ્યા બાદ તેમને ઘરે જવાની મંજુરી પણ મળી હતી. ત્યારે જોવું એ રહ્યું કે મેડિકલ રિપોર્ટમાં મોતનું સાચું કારણ શું સામે આવે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 4:20 am, Mon, 9 March 20