છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના દેશમાં નવા 4213 કેસ સામે આવ્યા છે. જ્યારે આ જ સમયગાળમાં 1159 લોકોએ કોરોનાને હરાવ્યો છે અને તેઓ સ્વસ્થ થઈને પોતાના ઘરે પહોંચ્યા છે. આ જાણકારી સ્વાસ્થ્ય અને ગૃહ મંત્રાલયની સંયુક્ત રીતે યોજવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
The total number of recoveries is 20917, 44029 people are under active medical supervision. In last 24 hours, there were 4213 new cases & 1559 recoveries. Recovery rate is now at 31.15%. Total number of cases is at 67,152: Lav Agarwal, Joint Secretary of Health Ministry #COVID19 pic.twitter.com/hEN3SnFqqa
— tv9gujarati (@tv9gujarati) May 11, 2020
ગૃહ મંત્રાલયની સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે માહિતી આપી જે લોકોની પાસે ટ્રેનની કન્ફર્મ ઈ ટીકીટ હશે તેમને કોઈ જ અલગથી કર્ફ્યુ પાસ બનાવવાની જરૂર નહીં પડે. ગૃહ મંત્રાલયે રાજ્યોની સરકારોને કહ્યું કે એ વાતની કાળજી રાખવામાં આવે છે શ્રમિકો ઘરે પહોંચવા માટે પગપાળા રોડ કે ટ્રેનના પાટાનો સહારો ના લે. જો તેઓ આવું કરતાં જોવા મળે તો તેમના માટે ટ્રેન કે બસની વ્યવસ્થા કરવામાં આવે. કેન્દ્ર સરકાર દ્વારા શ્રમિક ટ્રેન દોડાવવામાં આવી રહી છે અને આ પ્રયાસથી કુલ 468 ટ્રેન મારફતે 5 લાખથી વધારે લોકોને ઘરે મોકલવામાં આવ્યા છે. 10મેના રોજ દેશમાં 101 શ્રમિક ટ્રેન ચલાવવામાં આવી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
દેશમાં કુલ કેટલાં લોકો થયા સ્વસ્થ?
દેશમાં કોરોના વાઈરસ સામેના જંગમાં 20917 લોકોએ જીત મેળવી છે. જ્યારે અત્યારે પણ દેશમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 44029 છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 4213 કેસ સામે આવ્યા છે. જ્યારે 1159 લોકો આ જ સમયગાળામાં સ્વસ્થ થયા છે. દેશમાં હવે રિકવરી રેટ 31.15 ટકા થઈ ગયો છે. દેશમાં કુલ કોરોનાના સંક્રમિત કેસની સંખ્યા 67152 થઈ ગઈ છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 12:43 pm, Mon, 11 May 20