Corona Update: દેશમાં કોરોના બન્યો બેકાબૂ, 1.42 લાખ નવા દર્દીઓ, માત્ર 5 રાજ્યમાં 94,000 કેસ

|

Jan 08, 2022 | 10:54 AM

એક અઠવાડિયા પહેલા જે 22,000ની આસપાસ હતી, તે માત્ર એક અઠવાડિયામાં 6 ગણી વધીને 1.50 લાખની નજીક પહોંચી ગયા છે.

Corona Update: દેશમાં કોરોના બન્યો બેકાબૂ, 1.42 લાખ નવા દર્દીઓ, માત્ર 5 રાજ્યમાં 94,000 કેસ
File Image

Follow us on

દુનિયાના અન્ય દેશોની જેમ ભારતમાં પણ કોરોનાના કેસ (Corona Case) ઝડપથી વધી રહ્યા છે. દેશમાં 24 કલાકમાં કોરોના વાઈરસના 1,41,986 નવા કેસ સામે આવ્યા છે અને 285 લોકોના મોત થયા છે. ચિંતાજનક બાબત એ છે કે માત્ર 5 રાજ્યમાં જ કોરોનાના કેસ 1 લાખની નજીક પહોંચી ગયા છે. સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં 40,925 કેસ, પશ્ચિમ બંગાળમાં 18,213 કેસ, દિલ્હીમાં 17,335 કેસ, તમિલનાડુમાં 8,981 કેસ અને કર્ણાટકમાં 8,449 કેસ સામે આવ્યા છે.

હવે દેશમાં સંક્રમણના કુલ કેસની સંખ્યા વધીને 3,53,68,372 થઈ ગઈ છે. એક અઠવાડિયા પહેલા જે 22,000ની આસપાસ હતી, તે માત્ર એક અઠવાડિયામાં 6 ગણી વધીને 1.50 લાખની નજીક પહોંચી ગયા છે. દેશમાં કોરોનાના વધતા કેસની વચ્ચે છેલ્લા 24 કલાકમાં કુલ 40,895 દર્દી સાજા થયા છે. જેનાથી દેશમાં રિક્વર થયેલા દર્દીઓની સંખ્યા 3,44,12,740 થઈ ગઈ છે. ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા 4,72,169 છે. છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસમાં 1,00,806નો વધારો થયો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ઓમિક્રોનના કેસમાં પણ વધારો

દેશમાં કોરોનાના વધતા કેસોની વચ્ચે ઓમિક્રોનના કેસમાં પણ થોડો વધારો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરેલા આંકડા મુજબ 27 રાજ્યમાં ઓમિક્રોનના 3,071 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 1,203 દર્દી ઓમિક્રોનથી સાજા થયા છે.

27 રાજ્યમાં ઓમિક્રોનની એન્ટ્રી

ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન (Omicron)ની એન્ટ્રી 27 રાજ્યમાં થઈ ચૂકી છે. ઓમિક્રોનના જોખમને લઈ કેન્દ્ર સરકારે રાજ્યોને ત્વરિત ઉપાય કરવા માટે કહ્યું છે. અલગ અલગ રાજ્યની સરકારોએ કોરોના મહામારીના પ્રકોપથી બચવા માટે રાત્રિ કર્ફ્યૂ, વીકેન્ડ કર્ફ્યૂ લાગુ કર્યા છે અને જરૂર વગર ઘરની બહાર ન નીકળવા માટે પણ અપીલ કરી છે.

આ પણ વાંચો: Vadodara: કોરોનાના કેસ વધતા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત પોલીસ એક્શનમાં, સંક્રમણ રોકવા કવાયત હાથ ધરી

 

આ પણ વાંચો: Ahmedabad: કોરોના ટેસ્ટ કરાવવા લેબોરેટરી બહાર લાગી કતારો, 100 કોવિડ RTPCR ટેસ્ટમાંથી 15થી 16 દર્દી પોઝિટીવ

Next Article