Corona Update : દેશમાં શનિવારના કોરોના વાયરસના 2, 57, 299 નવા કેસ સામે આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના લીધે 4194 લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે શુક્રવારે કોરોનાથી 3,57, 630 લોકો કોરોનાથી સાજા થયા હતા. ભારતમાં કોરોનાના 32,64,84,155 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આઇસીએમઆરના આંકડા અનુસાર શુક્રવારે દેશભરમાં 20,66,285 સેમ્પલની તપાસ કરવામાં આવી હતી.
દેશમાં હાલ કુલ પોઝીટિવ કેસોની સંખ્યા 2,62,89,290 થઈ છે. દેશમાં Corona ને લીધે 2,95,525 લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે દેશમાં અત્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 29,23,400 છે.
જાણો આજે કયા રાજ્યોમાં આવ્યા Corona ના કેટલાં પોઝીટીવ કેસ
દિલ્હી
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2260 નવા કેસ સામે આવ્યા છે અને 182 લોકોના મૃત્યુ થયા છે.આ ઉપરાંત પોઝિટીવીટી રેટ ઘટીને 3.58 ટકા થયો છે.
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં ગત 24 કલાકમાં 26, 133 કોરોનાના કેસ સામે આવ્યા છે અને 682 લોકોના કોરોનાના લીધે મૃત્યુ થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં પ્રદેશમાં 40294 લોકો કોરોનાથી સાજા થયા છે.
આંધ્ર પ્રદેશ
આંધ્ર પ્રદેશની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 19, 981 કોરોનાના કેસ નોંધાયા છે. જયારે 18,336 લોકો કોરોનાને મ્હાત આપી છે. તેમજ 118 લોકો કોરોના વિરુદ્ધ જંગ હારી ગયા હતા.
પુડુચેરી
પુડુચેરીમાં છેલ્લા 24 કલાકમાં 1,445 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જયારે 2011 લોકો રિકવર થયા હતા અને 30 લોકોના મૃત્યુ થયા હતા.
મધ્ય પ્રદેશ
મધ્ય પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 3,844 નવા કોરોના કેસ નોંધાયા છે. જ્યારે 9 327 લોકો કોરોનાથી સાજા થયા છે. જ્યારે કોરોનાના લીધે 89 લોકોના મૃત્યુ થયા છે.
મણિપુર
મણિપુરમાં છેલ્લા 24 કલાકમાં 757 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જ્યારે 652 લોકો સાજા થયા છે અને 13 લોકોના કોરોનાના લીધે મૃત્યુ થયા છે.
પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળમાં છેલ્લા છેલ્લા 24 કલાકમાં 18, 863 કોરોના કેસ નોંધાયા છે. જ્યારે 19,202 લોકો કોરોનાથી સાજા થયા છે. તેમજ 154 લોકોના કોરોનાના લીધે મૃત્યુ થયા છે.
કર્ણાટક
કર્ણાટક રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 31,183 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. જયારે 61,766 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 451 લોકોના મૃત્યુ થયા છે.
તેલંગાના
તેલંગાનામાં છેલ્લા 24 કલાકમાં 3,308 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જયારે 4 723 લોકો કોરોનાથી સાજા થયા છે. તેમજ કોરોનાને લીધે 21 લોકો મૃત્યુ પામ્યા છે.
Published On - 10:34 pm, Sat, 22 May 21