AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Update : દેશમાં ધીમી પડી કોરોનાની ગતિ, રિકવરી રેટ 95.26 ટકા થયો

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા 80 હજાર કેસ નોંધાયા છે. જેમાં 3303 લોકોએ જીવ(Death) ગુમાવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય(Health) મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં હાલમાં કોરોનાના 10 લાખ 26 હજાર સક્રિય કેસ છે.

Corona Update : દેશમાં ધીમી પડી કોરોનાની ગતિ, રિકવરી રેટ 95.26 ટકા થયો
દેશમાં ધીમી પડી કોરોનાની ગતિ, રિકવરી રેટ 95.26 ટકા થયો
| Updated on: Jun 13, 2021 | 6:24 PM
Share

કોરોના(Corona)  વાયરસની બીજી લહેર દેશ માટે એક આપત્તિ બની રહી છે. જેને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર કડક પગલા લઈ રહી છે. કોરોનાની ગતિ ધીમી પડી ગઈ છે. પરંતુ કોરોના હજી સંપૂર્ણ પણે નાબૂદ થયો નથી.

જેમાં દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા 80 હજાર કેસ નોંધાયા છે. જેમાં 3303 લોકોએ જીવ(Death) ગુમાવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય(Health) મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં હાલમાં કોરોનાના 10 લાખ 26 હજાર સક્રિય કેસ છે.

કેન્દ્રીય આરોગ્ય(Health) મંત્રાલય અનુસાર, દેશમાં કોરોના દર્દીઓનો રિકવરી દર 95.26% પર પહોંચી ગયો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોના 80,834 નવા કેસ નોંધાયા છે. જે 71 દિવસમાં સૌથી ઓછા છે. જ્યારે આ સમયગાળા દરમિયાન 1.32 લાખ કોરોના(Corona) દર્દીઓ સાજા થયા છે.

દેશમાં ગયા મહિનાથી નવા કોરોના કેસની સંખ્યામાં ઘટાડો થતાં દર્દીઓના રિકવરી દર ઝડપથી વધી રહ્યો છે.

દેશમાં  કોરોનાની સ્થિતિ

છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ : 80,834

છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયેલા દર્દી : 1,32,062

છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ : 3,303

દેશમાં ચેપ લાગનારી કુલ સંખ્યા : 2,94,39,989

દેશમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા : 2,80,43,446

કોરોનાથી મૃત્યુ પામેલા કુલ લોકોની સંખ્યા: 3,70,384

ભારતમાં હવે કોરોનાના કુલ સક્રિય કેસ : 10,26,159

પોઝિટિવિટી રેટ 4 ટકાથી વધુ 

દેશમાં સતત 31 માં દિવસે કોરોના વાયરસના નવા કેસો કરતાં રિકવર થનારા દર્દીઓ વધારે છે. 12 જૂન સુધીમાં દેશભરમાં 25 કરોડ 31 લાખ કોરોના રસી ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં ગઇ કાલે 34 લાખ 84 હજાર રસી આપવામાં આવી હતી. આની સાથે જ અત્યાર સુધીમાં 37 કરોડ 81 લાખ કોરોના પરીક્ષણો કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં લગભગ 19 લાખ કોરોના નમૂનાના પરીક્ષણો કરાયા હતા. જેનો પોઝિટિવિટી રેટ 4 ટકાથી વધુ છે.

કોરોના સક્રિય કેસના મામલે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે

દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.25 ટકા છે જ્યારે રિકવરી રેટ 95 ટકાથી વધી ગયો છે. સક્રિય કેસ 4 ટકાથી નીચે આવી ગયા છે. કોરોના સક્રિય કેસના મામલે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે. ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યાના સંદર્ભમાં પણ ભારત બીજા ક્રમે છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝિલના પછી ભારતમાં સૌથી વધુ મૃત્યુ થયા છે.

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">