Madhya Pradesh : જબલપુરની 226 ગ્રામ પંચાયતોમાં કોરોનાની નો એન્ટ્રી, બનાવ્યા કડક નિયમો

|

May 16, 2021 | 4:37 PM

મધ્ય પ્રદેશના જબલપુરમાં કેટલાક એવા ગામો પણ છે, જ્યાં લોકોએ ગામમાં પ્રતિબંધ લગાવી દીધા છે. તેમજ નિયમો પણ બનાવ્યા છે. જેના પરિણામે આ ગામોમાં કોરોનાનો એક પણ કેસનો નોંધાયો ન હોવાની વિગતો સામે આવી છે.

Madhya Pradesh : જબલપુરની 226 ગ્રામ પંચાયતોમાં કોરોનાની નો એન્ટ્રી, બનાવ્યા કડક નિયમો
જબલપુરની 226 ગ્રામ પંચાયતોમાં કોરોનાની નો એન્ટ્રી

Follow us on

Madhya Pradesh :  દેશમાં હાલ Corona નો  ચેપ વધી રહ્યો છે. હવે ગામોમાં કોરોના ફેલાવવાના કિસ્સા પણ સામે આવવા લાગ્યા છે. પરંતુ મધ્ય પ્રદેશના જબલપુરમાં કેટલાક એવા ગામો પણ છે, જ્યાં લોકોએ ગામમાં પ્રતિબંધ લગાવી દીધા છે. તેમજ નિયમો પણ બનાવ્યા છે. જેના પરિણામે આ ગામોમાં કોરોનાનો એક પણ કેસનો નોંધાયો ન હોવાની વિગતો સામે આવી છે.

દેશમાં શહેર બાદ હવે ગામોમાં પણ Corona નો ચેપ ફેલાવા લાગ્યો છે. જ્યારે કેટલાક એવા ગામો છે જ્યાં કોરોના હજી સુધી પ્રવેશ કરી નથી અને તેનું કારણ શિસ્ત અને નિયમોનું કડકાઇથી પાલન. મધ્યપ્રદેશના જબલપુરના કેટલાક ગામોમાં ગ્રામજનોએ કોરોનાથી બચવા માટે જાતે જ કડક નિયમ બનાવ્યા છે. જેમાં આ ગામડાઓમાં લગ્નો બંધ કરવામાં આવ્યા તેમજ બહારની વ્યક્તિને પણ એન્ટ્રી આપવામાં આવી ન હતી. જેના પરિણામ સ્વરૂપ આ ગામોમાં કોરોનાનો એક પણ કેસ દેખાયો નથી અને ગામલોકો હજી કોરોનામાં સંક્રમણથી દૂર છે.

આ કિસ્સો છે જ્યાં 516 ગ્રામ પંચાયતોમાંથી 226 ગ્રામ પંચાયતો એવી છે કે જ્યાં Corona પહોંચ્યો નથી. કોરોના આ 226 પંચાયતોમાં પહોંચી નથી, તેનો સીધો શ્રેય ગ્રામજનોને જાય છે. કારણ કે  ગામલોકો  સામાજિક અંતરને સખત રીતે અનુસર્યા છે.  માસ્ક પહેરે છે અને  ગામમાં અન્ય વ્યક્તિની એન્ટ્રી પણ બંધ છે. વળી, લગ્નો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લોકડાઉન જાતે જ ગામમાં રાખ્યું છે. એટલું જ નહીં, જો કોઈ આ નિયમોનો ભંગ કરે છે, તો તેના પર દંડ પણ કરવામાં આવે છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

ગામની પંચાયત બિજના અને સુસનેરમાં ગ્રામજનોએ એટલી જાગૃતિ બતાવી કે તેઓએ ગામને જ સીલ કરી દીધું. ગામમાં કોઈપણ બહારના લોકોની પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. ગામલોકો પણ તેમના ઘરના બાળકોને બહાર આવવા દેતા નથી, અને જે બહાર જાય છે તે હંમેશા માસ્ક લઈને બહાર આવે છે. આ જ કારણ છે કે કોરોના તેના ગામમાં પ્રવેશી શક્યો નથી.

આ જિલ્લાના સીએમઓ ડો. રત્નેશ કુરારીયા કહે છે, “આ બધી ગ્રામ પંચાયતોમાં કોરોનાનો એક પણ સક્રિય કેસ નથી. માહિતી અનુસાર, ‘મારું રાજ્ય, મારું ગામ, કરુણા મુક્ત અભિયાન’ ચલાવવામાં આવી રહ્યું છે. જ્યારે જિલ્લા અધિકારીએ જણાવ્યું કે ત્રિ-સ્તરીય કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરમાં કોરોના પર નિયંત્રણ મેળવવાની યોજના ચાલી રહી છે. જેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં તેનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે.

આ ગ્રામ પંચાયતોમાં કોરોનાની નો એંટ્રી

જબલપુર જિલ્લાની 42 ગ્રામ પંચાયતો.
પનાગર  જિલ્લાની 18 ગ્રામ પંચાયતો.
પાટણ જિલ્લાની 11 ગ્રામ પંચાયતો
શહપુરા અને કુંડમની 46-46 ગ્રામ પંચાયતો.
સિહોરા જિલ્લાની 29 ગ્રામ પંચાયતો.
મજૌલી જિલ્લાની 34 ગ્રામ પંચાયતો.

Next Article