
સંવિધાનની શરૂઆત “અમે, ભારતના લોકો” થી કેમ થાય છે? ક્યારેક સંવિધાનની શરૂઆતી લાઇન મોટેથી વાંચી જુઓ. “અમે, ભારતના લોકો, ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી પ્રજાસત્તાક બનાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને…”
આ એક આત્મવિશ્વાસથી ભરેલું વાક્ય છે. તેમાં એવું નથી કહેવામાં આવ્યું કે, સરકાર તેના લોકો માટે દેશ બનાવી રહી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, લોકો પોતે પોતાના માટે દેશ બનાવી રહ્યા છે અને આ પછી આવનારી “દરેક વસ્તુ, દરેક અનુચ્છેદ, દરેક અધિકાર, દરેક સંસ્થા” આ જ એક દાવામાંથી નીકળે છે કે, દેશ બનાવવા વાળા તેઓ જ છે. અહીં એક એવી વાત છે, જે થોડી અસહજ લગાવી શકે છે પરંતુ તેને છુપાવવાને બદલે જાણવી વધુ સારી છે.
બીજું કે, જે લોકોએ તે શબ્દો લખ્યા, તે બંધારણ સભાની ચૂંટણી આજે આપણે કરીએ છીએ તે રીતે થઈ નહોતી. તેના સભ્યોને પ્રાંતીય વિધાયકો દ્વારા અપ્રત્યક્ષ રીતે ચૂંટવામાં આવ્યા હતા. આ વિધાયકો પોતે બ્રિટિશ કાળના મતદાન નિયમો હેઠળ ચૂંટાયા હતા, જેમાં ભારતની વયસ્ક વસ્તીના માત્ર 14 થી 15 ટકા લોકોને જ વોટ આપવાનો અધિકાર હતો.
તે સભામાં કોણ બેસશે તે નક્કી કરવામાં મહિલાઓ, રોજના મજૂરો અને ભારતના સૌથી ગરીબ તેમજ વંચિત સમુદાયોની ખૂબ ઓછી કે નહિવત ભૂમિકા હતી. સભા પોતે પણ આ બાબતથી સારી રીતે માહિતગાર હતી. મિલકત કે શિક્ષણના ભેદભાવ વિના તમામ વયસ્કોને ‘એક વ્યક્તિ, એક વોટ’નો મતાધિકાર ભારતની પહેલી સામાન્ય ચૂંટણી (1951-52) સાથે જ મળ્યો, જે બંધારણ અપનાવ્યાના પૂરા એક વર્ષ પછી થયું હતું.
તેથી, “અમે, ભારતના લોકો” (We, the people) નો જે વાક્યાંશ લખવામાં આવ્યો હતો, તે વાસ્તવિકતા કરતાં વધુ એક વચન હતું.
આને નજરઅંદાજ કરવાનું કોઈ કારણ નથી. જો કે, વાત તો તેનાથી ઉલટી છે. બંધારણ સભાએ એક એવો દસ્તાવેજ તૈયાર કર્યો, જેની વૈધતા તેની પોતાની રચના કરતાં ક્યાંય વધુ વ્યાપક હતી.
એવી વૈધતા જેને વાસ્તવમાં ત્યારે જ પૂરી રીતે હાસિલ કરી શકાતી હતી, જ્યારે દરેક વયસ્ક નાગરિકને વોટનો અધિકાર મળી જતો. તે દોરનો અભ્યાસ કરનારા ઇતિહાસકારો, ખાસ કરીને ગ્રેનવિલ ઓસ્ટિનનો તર્ક છે કે શરૂઆત ભલે પૂરી રીતે સાચી ન રહી હોય, છતાં બંધારણ 75 વર્ષો સુધી લોકશાહી અને કાનૂની દબાણો વચ્ચે ટકી રહ્યું. આવું એટલા માટે થયું કારણ કે બંધારણ સભાના ભંગ થયાના ઘણા સમય પછી પણ દેશે દરેક ચૂંટણીમાં તે શરૂઆતી દાવાનું સન્માન કરવાનું ચાલુ રાખ્યું.
આમુખમાં જે શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તે સંક્ષિપ્ત છે. આ આમુખ દેશને ચાર વસ્તુઓ માટે પ્રતિબદ્ધ કરે છે: ન્યાય – સામાજિક, આર્થિક અને રાજકીય સ્વરૂપોમાં; સ્વતંત્રતા – વિચાર, અભિવ્યક્તિ, વિશ્વાસ, શ્રદ્ધા અને ઉપાસનાની; સમાનતા – દરજ્જા અને તકની; અને બંધુતા – જેનો હેતુ દરેક વ્યક્તિની ગરિમા અને દેશની એકતાને સુનિશ્ચિત કરવાનો છે. આ ચારેય શબ્દો જવાહરલાલ નેહરુના ‘ઉદ્દેશ્ય પ્રસ્તાવ’ (Objectives Resolution) માંથી લેવામાં આવ્યા છે, જેને બંધારણ પૂરું થવાના ત્રણ વર્ષથી પણ વધુ સમય પહેલાં, ડિસેમ્બર 1946માં બંધારણ સભામાં રજૂ કરવામાં આવ્યો હતો.
આજે જે આમુખ છે, તે એવું નથી જેવું 26 નવેમ્બર 1949ના રોજ અપનાવવામાં આવ્યું હતું. વર્ષ 1976માં, કટોકટી (ઇમરજન્સી) દરમિયાન, તત્કાલીન સરકારે 42મો બંધારણીય સુધારો પસાર કર્યો. આ સુધારા દ્વારા આમુખની શરૂઆતી લાઈનમાં બે નવા શબ્દો “સમાજવાદી” (Socialist) અને “બિનસાંપ્રદાયિક” (Secular) ઉમેરવામાં આવ્યા અને “રાષ્ટ્રની એકતા” (unity of the Nation) ને બદલીને “રાષ્ટ્રની એકતા અને અખંડિતતા” (unity and integrity of the Nation) કરી દેવામાં આવ્યું.
તે સુધારા પર આજે પણ ચર્ચા થાય છે. સમયે-સમયે સુપ્રીમ કોર્ટમાં અરજીઓ દાખલ કરીને તે બે શબ્દોને હટાવવાની માંગ કરવામાં આવી છે. આ અરજીઓમાં તર્ક આપવામાં આવે છે કે આ શબ્દો એવા સમયે ઉમેરવામાં આવ્યા હતા જ્યારે સામાન્ય લોકશાહી પ્રક્રિયા સ્થગિત હતી. બીજી તરફ, કેટલાક લોકોનો તર્ક છે કે આ શબ્દોએ માત્ર તે મૂલ્યોને સ્પષ્ટ કર્યા જે પહેલાથી જ બંધારણના મૂળ સ્વરૂપમાં હતા, ભલે તેને ઉમેરવા પાછળની રાજકીય પરિસ્થિતિઓ ગમે તે રહી હોય. આ ચર્ચા, આ શ્રેણીની બીજી કેટલીક ચર્ચાઓની જેમ, હજુ પણ ચાલુ છે અને આ લેખનો હેતુ તે ચર્ચાનો અંત લાવવાનો નથી.
ખાસ શબ્દોને લઈને થતી દરેક ચર્ચા પછી પણ જે વસ્તુ બચી જાય છે, તે વાક્યનું મૂળ માળખું છે. કોઈ બંધારણ એવી રીતે શરૂ થઈ શકે છે કે “સરકાર આના દ્વારા પોતાની પ્રજાને અધિકાર આપે છે…” પરંતુ ભારતનું બંધારણ એવું નથી. તેની શરૂઆત એ વાતથી થાય છે કે, લોકો પહેલા અધિકારનો દાવો કરે છે અને પછી તેને રાજ્યને સોંપે છે, નહીં કે તેનાથી ઊલટું. આ ક્રમ કોઈ સજાવટ નથી. આ સમગ્ર દસ્તાવેજનો મુખ્ય તર્ક છે, જે ચાર શબ્દોમાં સમેટાયેલો છે.
નવેમ્બર 1949માં આ દાવો પૂરી રીતે સાચો હતો કે નહીં, તે એક વ્યાજબી પ્રશ્ન છે અને તેનો પ્રામાણિક જવાબ છે: હજુ નહીં, પૂરી રીતે નહીં. આજે આ પૂરી રીતે સાચું છે કે નહીં, તે એક અલગ પ્રશ્ન છે અને દરેક પેઢીએ જેને આ વાક્ય વારસામાં મળ્યું છે તેણે નવા સિરેથી આ પ્રશ્ન પૂછવો જોઈએ.
તો, આગામી વખતે જ્યારે તમે કોઈ કોર્ટરૂમ, ભાષણ કે પાઠ્યપુસ્તકમાં “અમે, ભારતના લોકો” (We, the people) નો ઉલ્લેખ સાંભળો, તો આ પ્રશ્ન પર જરૂર વિચારો.
શું તમને લાગે છે કે, તે વાક્ય વાસ્તવમાં તમારા જેવા લોકો માટે જ કહેવામાં આવ્યું છે? જો નહીં, તો તેને સાચું સાબિત કરવા માટે શું બદલવું પડશે?
દરેક તે નાગરિક જેણે ક્યારેય વોટિંગ બૂથ પર લાઈન લગાવી હોય, મૂળભૂત અધિકાર માટે કેસ કર્યો હોય અથવા બસ એવી આશા રાખી હોય કે, કાયદો તેની સાથે પણ એવો જ વ્યવહાર કરશે જેવો અન્ય સાથે કરે છે.
તેણે કોઈને કોઈ રીતે તે ચેકને વટાવ્યો છે, જેને વર્ષ 1949માં એસેમ્બલીએ લખ્યો હતો, ભલે તેઓ પોતે તેના પર પૂરી રીતે સાઇન કરવાની સ્થિતિમાં ન હોય. આ વાર્તાની કોઈ ખામી નથી. હોઈ શકે છે કે, આ વાર્તાનો સૌથી ‘ભારતીય’ હિસ્સો હોય, એક એવું વચન જે તેને પૂરી રીતે નિભાવવાના સાધનો હોતા પહેલા જ કરવામાં આવ્યું, છતાં તેને નિભાવવામાં આવ્યું, થોડું-થોડું કરીને, દરેક ચૂંટણીની સાથે.