કોટાની જે કે લોન હોસ્પિટલમાં બાળકોના મોતનો આંકડો વધીને 107 પર પહોંચ્યો છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલટ આજે કોટા હોસ્પિટલ પહોંચ્યા. કોટામાં બાળકોની મોત પર સચિન પાયલટે મુખ્યપ્રધાન અશોક ગેહલોત પર હુમલો કરતાં કહ્યું કે આપણે જવાબદારી નક્કી કરવી પડશે. સચિન પાયલટે કહ્યું કે પહેલા શું થયું તેની પર ચર્ચા ના થવી જોઈએ. વસુંધરા રાજે સિંધિયાને જનતાએ હરાવી દીધા પણ હવે જવાબદારી આપણી છે.
રાજસ્થાનના કોટામાં જે કે લોન હોસ્પિટલમાં બાળકોના મોતનો આંકડો સતત વધતો જાય છે. હવે કોટામાં બાળકોના મોતનો આંકડો 107 પહોંચી ચૂક્યો છે. ત્યારે આ મામલે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે રાજસ્થાન સરકારને નોટિસ જાહેર કરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રાજસ્થાનના નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલટ આજે કોટામાં ઘણા મૃત બાળકોના પરિવારને મળ્યા. સચિન પાયલટ પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન હોવાની સાથે સાથે PCC અધ્યક્ષ પણ છે. સચિન પાયલટ દિલ્હીમાં હતા, ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કોટામાં બાળકોના મોતને લઈ નારાજગી વ્યક્ત કરી.
ત્યારબાદ સચિન પાયલટ રાજસ્થાન પહોંચ્યા અને જયપુર આવ્યા પછી કોટા માટે રવાના થયા હતા. ત્યારે બીજી તરફ રાજસ્થાનની ગેહલોત સરકારને કોટાની જે કે લોન હોસ્પિટલમાં બાળકોના મોત મામલે ભારે આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]