કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ દિવાળીની પાઠવી શુભેચ્છા, કહ્યું “પ્રકાશનો આ પર્વ દરેક પરિવારમાં ખુશીઓ અને સમૃદ્ધિ લાવે”

|

Nov 04, 2021 | 4:07 PM

દિવાળી એ હિન્દુ ધર્મમાં ઉજવવામાં આવતો મુખ્ય તહેવાર છે. આ દિવસે મા લક્ષ્મી, ભગવાન ગણેશ, દેવી સરસ્વતી, મહાકાળી માતાની પૂજા કરવામાં આવે છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ જનતાને દિવાળીની શુભેચ્છા પાઠવી છે.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ દિવાળીની પાઠવી શુભેચ્છા, કહ્યું પ્રકાશનો આ પર્વ દરેક પરિવારમાં ખુશીઓ અને સમૃદ્ધિ લાવે
Sonia Gandhi (File Photo)

Follow us on

Diwali 2021 : કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ દિવાળીના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યુ કે “હું ભગવાનને પ્રાર્થના કરું છું કે પ્રકાશનો આ પર્વ દરેક પરિવાર માટે સુખ, સમૃદ્ધિ, પ્રગતિ અને પ્રગતિની તકો લઈને આવે.” ગત વર્ષની જેમ આ વર્ષે પણ દેશમાં કોરોના મહામારી વચ્ચે દિવાળીનો (Diwali Festival) તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. જો કે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

વધુમાં સોનિયા ગાંધીએ કહ્યું હતું કે “દિવાળી આપણને સંદેશ આપે છે કે અંધકાર ગમે તેટલો ગાઢ હોય, દીવાનો પ્રકાશ તે અંધકારને દૂર કરવા માટે પૂરતો છે. તેથી જ આ આશાના દીપકની આભા હંમેશા આપણા હદયમાં પ્રજવલિત રાખવી અનિવાર્ય છે. દીપાવલી પર દીવાઓની હારમાળા આપણને અહેસાસ આપે છે કે આપણે સૌ દેશવાસીઓ પરસ્પર પ્રેમ અને સંવાદિતા સાથે એકબીજાના જીવનમાં પ્રકાશ આપી શકીએ છીએ અને પરસ્પર સહયોગથી આપણે અંધકારના અંધકારને દૂર કરી શકીએ છીએ.”

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રાહુલ ગાંધીએ પણ દિવાળીની શુભેચ્છા પાઠવી હતી

રાહુલ ગાંધીએ (Rahul Gandhi) કહ્યુ કે,”આવો આપણે સૌ દીપોત્સવના દિવસે પ્રતિજ્ઞા લઈએ કે વિવિધ ભાષા, ધર્મ, સંપ્રદાયના લોકો આ સમગ્ર અને સામૂહિક રીતે આનંદનો તહેવાર ઉજવશે અને અંધકારને દૂર કરનાર આશાનો દીવો પ્રગટાવીશું.” આ સાથે રાહુલ ગાંધીએ દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવીને દેશની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

દિવાળી એ હિન્દુ ધર્મમાં (Hindu Religion) ઉજવવામાં આવતો મુખ્ય તહેવાર છે. આ દિવસે મુખ્યત્વે મા લક્ષ્મી, ભગવાન ગણેશ, દેવી સરસ્વતી, મહાકાળી માતાની પૂજા કરવામાં આવે છે. પ્રદોષ કાળમાં દિવાળીની પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ દિવાળીના દિવસે સાચા મનથી દેવી લક્ષ્મીની પૂજા કરે છે તેના તમામ દુ:ખ દૂર થઈ જાય છે.

 

આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાના PM મોદીના સંવેદનશીલ નિર્ણયથી સામાન્ય માણસને મળશે રાહત: અમિત શાહ

આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરઃ શોપિયાંના ગામોમાં છુપાયા આતંકી, સેનાની પણ સખત કાર્યવાહી

Next Article