હરિયાણાના પૂર્વ સીએમ ભૂપિન્દર સિંહ હુડ્ડા રાહુલ ગાંધીને મળ્યા, ત્યારબાદ ગુલામ નબી આઝાદને મળવા તેમના ઘરે ગયા

|

Mar 17, 2022 | 4:41 PM

રાહુલ સાથેની બેઠકમાં શું ચર્ચા થઈ તે હજુ જાણવા મળ્યું નથી. જો કે, સૂત્રોએ જણાવ્યું હતું કે કોંગ્રેસના હરિયાણા એકમના વડા કુમારી સેલજા જે રીતે કામ કરી રહી છે તેનાથી હુડ્ડા ખુશ નથી અને આ સંદર્ભે રાહુલને મળ્યા છે.

હરિયાણાના પૂર્વ સીએમ ભૂપિન્દર સિંહ હુડ્ડા રાહુલ ગાંધીને મળ્યા, ત્યારબાદ ગુલામ નબી આઝાદને મળવા તેમના ઘરે ગયા
Bhupinder Singh Hooda - File Photo

Follow us on

પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં (Assembly Elections 2022) કારમી હાર બાદ કોંગ્રેસમાં સતત ખેંચતાણ ચાલી રહી છે. પાર્ટી હારના કારણો પર સતત મંથન કરી રહી છે, તે દરમિયાન, હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને વરિષ્ઠ નેતા ભૂપિન્દર સિંહ હુડ્ડા (Bhupinder Singh Hooda) ગુરુવારે પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને (Rahul Gandhi) મળ્યા હતા. ખાસ વાત એ છે કે ભૂપેન્દ્ર સિંહે એક દિવસ પહેલા જ કોંગ્રેસના અસંતુષ્ટ જૂથ કહેવાતા જી-23ની બેઠકમાં હાજરી આપી હતી. G-23 જૂથ લાંબા સમયથી પાર્ટીમાં મોટા ફેરફારોની માગ કરી રહ્યો છે.

રાહુલ ગાંધી સાથે ભૂપેન્દ્ર સિંહની મુલાકાત લગભગ એક કલાક સુધી ચાલી હતી. રાહુલની મુલાકાત બાદ પૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડ્ડાએ ગુલામ નબી આઝાદના ઘરે બેઠક યોજી હતી. અહીં પણ લગભગ એક કલાક સુધી નેતાઓ વચ્ચે બેઠક ચાલી હતી. ભૂપેન્દ્ર સિંહની સાથે આનંદ શર્મા પણ આઝાદના ઘરની બહાર આવ્યા હતા.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

રાહુલ સાથેની બેઠકમાં શું ચર્ચા થઈ તે હજુ જાણવા મળ્યું નથી. જો કે, સૂત્રોએ જણાવ્યું હતું કે કોંગ્રેસના હરિયાણા એકમના વડા કુમારી સેલજા જે રીતે કામ કરી રહી છે તેનાથી હુડ્ડા ખુશ નથી અને આ સંદર્ભે રાહુલને મળ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હુડ્ડા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદ પર કબજો કરવા માંગે છે અને આ પદ તેમના પુત્ર દીપેન્દ્ર હુડ્ડા માટે મેળવવા માંગે છે.

ભૂપેન્દ્ર સિંહે G-23 જૂથના નેતાઓની બેઠકમાં હાજરી આપી હતી

અગાઉ, કોંગ્રેસના G-23 જૂથના નેતાઓ બુધવારે પાર્ટીની વર્તમાન સ્થિતિ અને ભવિષ્યની રણનીતિ પર ચર્ચા કરવા માટે મળ્યા હતા. કપિલ સિબ્બલ, આનંદ શર્મા, મનીષ તિવારી, શશિ થરૂર અને અન્ય ઘણા નેતાઓએ રાજ્યસભાના ભૂતપૂર્વ વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદના નિવાસસ્થાને આયોજિત બેઠકમાં હાજરી આપી હતી. સૂત્રોનું કહેવું છે કે G-23ના નેતાઓએ એવા ઘણા નેતાઓને પણ આમંત્રિત કર્યા હતા જેઓ આ જૂથનો ભાગ નથી, પરંતુ પાર્ટીમાં પરિવર્તન ઈચ્છે છે.

આ જૂથના અગ્રણી સભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ગાંધી પરિવારે કોંગ્રેસ નેતૃત્વ છોડીને કોઈ બીજાને તક આપવી જોઈએ. કોંગ્રેસના ચાંદની ચોક જિલ્લા એકમે બુધવારે એક ઠરાવ પસાર કર્યો હતો જેમાં પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને સિબ્બલ વિરુદ્ધ પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ શિસ્તભંગના પગલાં લેવા વિનંતી કરવામાં આવી હતી. સિબ્બલ ચાંદની ચોક લોકસભા બેઠક પરથી સાંસદ રહી ચૂક્યા છે.

આ પણ વાંચો : શુ સ્ટીલ્થ ઓમિક્રોન વેરિયન્ટથી આવશે કોરોનાની ચોથી લહેર ? ચીનમાં ઝડપથી વધી રહ્યા છે કેસ, જાણો કેટલો જોખમી છે વેરિયન્ટ

આ પણ વાંચો : Truth About Kashmir Files: જાણો 32 વર્ષ પહેલા શું બન્યુ હતું કાશ્મીરી પંડિતો સાથે, તેમની હિજરત માટે કોણ હતું જવાબદાર?

Next Article