ગૃહપ્રધાન અમિત શાહે નાગરિકતા સંશોધન બિલ 2019ને લોકસભામાં રજૂ કર્યુ છે. બિલ રજૂ કર્યા પછી લોકસભામાં હંગામો શરૂ થઈ ગયો છે. ભાજપે તેમના તમામ સાંસદોને 3 દિવસ માટે વ્હિપ જાહેર કર્યુ છે.
લોકસભામાં કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરી અને ગૃહપ્રધાન અમિતશાહની ઉગ્ર ચર્ચાઓ થઈ. વિપક્ષે ગૃહમાં કહ્યું કે સરકાર મુસ્લિમ સમુદાયને નિશાન બનાવી રહી છે. આ બિલ મુસ્લિમ સમુદાયની વિરૂદ્ધ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ બિલમાં પાડોશી દેશોમાંથી શરણ માટે ભારત આવેલા હિન્દૂ, જૈન, બૌદ્ધ, શીખ, પારસી અને ઈસાઈ સમુદાયના લોકોને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ છે. ત્યારે બીજી તરફ વિપક્ષ આ બિલનો સતત વિરોધ કરી રહ્યું છે. તેમના મુજબ આ બિલ બંધારણની ભાવનાની વિરૂદ્ધ છે. સાથે જ વિપક્ષ સરકાર પર ધર્મના નામે નાગરિકતા આપવાનો પણ આરોપ લગાવી રહ્યું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો