હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ અને હત્યા બાદ મૃતદેહને સળગાવી દેવાની ઘટનાથી દેશભરમાં આક્રોશ છે. ત્યારે તમામ ક્ષેત્રના લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. તો ફિલ્મ સ્ટાર ચિરંજીવીએ પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
એક વીડિયો મેસેજ દ્વારા કહ્યું કે, પોલીસે સમયસર પોતાની કામગીરી કરી અને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. હવે આવા વિકૃત લોકોને રસ્તા પર ફાંસીએ લટકાવીને તેમના મનમાં ડર પેદા કરવો જરૂરી છે. છેલ્લા કેટલાક દિવસથી મહિલાઓ સાથે બનતી ઘટનાઓથી દુઃખી છું. દેશભરમાં દિકરીઓ માટે અસુરક્ષાનો માહોલ સર્જાયો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો