AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chhattisgarh: દંતેવાડામાં 5 લાખની ઈનામી 3 મહિલા નક્સલવાદીઓ ઠાર મરાયા, DRG જવાનએ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, મોટા હથિયારો પણ કર્યા જપ્ત

છત્તીસગઢના દંતેવાડામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. આજના એન્કાઉન્ટરમાં જવાનોએ ત્રણ નક્સલીઓને ઠાર કર્યા છે.

Chhattisgarh: દંતેવાડામાં 5 લાખની ઈનામી 3 મહિલા નક્સલવાદીઓ ઠાર મરાયા, DRG જવાનએ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, મોટા હથિયારો પણ કર્યા જપ્ત
3 women Naxalites shot dead in Dantewada
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 11:40 PM
Share

Dantewada Encounter: છત્તીસગઢના દંતેવાડામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. આજના એન્કાઉન્ટરમાં જવાનોએ ત્રણ નક્સલીઓને ઠાર કર્યા છે. એન્કાઉન્ટર સ્થળ પરથી ત્રણ મહિલા નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. દરેક પર 5-5 લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે આજે સાંજે અડવાલ અને કુંજેરસના જંગલમાં નક્સલવાદીઓ સાથે અથડામણ થઈ હતી. દંતેવાડાના એસપી અભિષક પલ્લવના જણાવ્યા અનુસાર, જિલ્લા રિઝર્વ ગાર્ડ સાથે ગોળીબાર બાદ ત્રણ મહિલા નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા.

એસપી અભિષેક પલ્લવના જણાવ્યા અનુસાર કાટેકલ્યાણ પોલીસ સ્ટેશન હેઠળના અડવાલ અને કુંદરત ગામો વચ્ચે આજે સાંજે લગભગ 6 વાગ્યે સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. હકીકતમાં તે સમયે જિલ્લા રિઝર્વ ગાર્ડના જવાનો જંગલમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા. ત્યારબાદ બંને વચ્ચે અથડામણ થઈ હતી. તેમણે જણાવ્યું કે, એન્કાઉન્ટર બાદ જંગલમાંથી ત્રણ મહિલા નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, માર્યા ગયેલી મહિલા માઓવાદીઓની ઓળખ રાજે મુચકી, ગીતા માર્કમ અને જ્યોતિ તરીકે થઈ છે. ત્રણેય મહિલાઓ માઓવાદીઓની કાતેકલ્યાણ ઈકિયા કમિટીની સભ્ય હતી.

એસપી પલ્લવે જણાવ્યું કે માર્યા ગયેલા ત્રણ નક્સલવાદીઓ પર 5-5 લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. ત્રણેયના મૃતદેહ સાથે, સ્થળ પરથી 12 બોરની બંદૂક, બે દેશી બનાવટની રિવોલ્વર, એક મજ્જલ લોડિંગ ગન અને બે ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ, વાયર, દવાઓ અને માઓવાદી સાહિત્ય અને અન્ય સામગ્રી મળી આવી છે.

અગાઉ છત્તીસગઢ-તેલંગાણા બોર્ડર પર પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં પોલીસે મોટી સફળતા મેળવી હતી અને 3 નક્સલીઓને ઠાર કર્યા હતા. તેલંગાણાના મુલગુ જિલ્લા અને બીજાપુરની સરહદે પોલીસ દ્વારા ત્રણ નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા. તે જ સમયે, સ્થળ પરથી SLR અને AK-47 રાઇફલ્સ પણ મળી આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, પોલીસે ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી કરી હતી. બસ્તરના આઈજી સુંદરરાજ પી.એ કહ્યું કે સરહદ પર નક્સલ વિરોધી મોટું ઓપરેશન ચાલી રહ્યું છે. એ ઓપરેશનમાં નક્સલવાદીઓને ઘણું નુકસાન થયું હતું.

આ પણ વાંચો: MBBS ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર, આ રાજ્યમાં હવે માત્ર નજીવી ફીમાં જ મળશે તબીબી શિક્ષણ

આ પણ વાંચો: RRC admit card 2021: રેલ્વે એપ્રેન્ટિસ ભરતી 2021 માટે એડમિટ કાર્ડ થયું જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">