ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનીગ બેટ્સમેન અને ઉતરપ્રદેશના કેબિનેટ પ્રધાન ચેતન ચૌહાણની તબીયત બગડતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. વિવિધ મીડિયા રીપોર્ટ અનુસાર ગત જુલાઈ મહિનામાં ચેતન ચૌહાણનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો. શુક્રવારે કિડનીની તકલીફને કારણે તેમની તબીયત લથડતા તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યા તેમને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હોવાનુ જણાવાયુ છે.
મીડીયા રીપોર્ટ અનુસાર ચેતન ચૌહાણની તબીયત ખુબ જ નાજુક હોવાનું તબીબોએ જણાવ્યુ છે. ચેતન ચૌહાણ ઉતર પ્રદેશની યોગી આદિત્યાનાથ સરકારમાં હોમગાર્ડ, નાગરિક સુરક્ષા અને સૈન્ય કલ્યાણ વિભાગના કેબિનેટ પ્રધાન છે. 1991 અને 1998માં સંસદસભ્ય પણ રહી ચૂક્યા છે. તો 1969થી 1978ની વચ્ચે 40 ટેસ્ટ મેચમાં ઓપનિગ બેટસમેન તરીકે રહ્યાં હતા. ભારતીય ટેસ્ટ ટીમમાં સુનિલ ગાવસ્કર અને ચેતન ચૌહાણની ઓપનીગ જોડી ખુબ જાણીતી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Published On - 1:06 pm, Sat, 15 August 20