ઈસરોએ Chandrayaan 3 ફિલ્મ RRRના બજેટમાં બનાવ્યું, જાણો તમે ક્યારે અને ક્યાં ફ્રીમાં લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશો

ચંદ્રયાન 3 માં રોવર, લેન્ડર અને પ્રોપલ્શન મોડ્યુલ હશે. તમને જણાવી દઈએ કે, આ ચંદ્રયાનનું કુલ વજન 3900 કિલો છે. જાણો તેને ક્યાં લાઈવ જોઈ શકશો.

ઈસરોએ Chandrayaan 3  ફિલ્મ RRRના બજેટમાં બનાવ્યું, જાણો તમે ક્યારે અને ક્યાં ફ્રીમાં લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશો
| Edited By: | Updated on: Jul 13, 2023 | 1:14 PM

Chandrayaan 3 : ઇન્ડિયન સ્પેસ રિસર્ચ કાઉન્સિલ (ISRO)ના ચંદ્રયાન-3 મિશનના પ્રક્ષેપણને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે 14 જુલાઈ, 2023 ના રોજ સવારે 2.35 કલાકે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા ખાતેના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ થવાનું છે. તમે આ લોન્ચિંગને લાઈવ જોઈ શકો છો, જેના વિશે વિગતવાર માહિતી તમને આ અહેવાલ દ્વારા મળશે.

ચંદ્રયાન-3 મિશનના લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલને વહન કરતા LMV-3 (લોન્ચ વ્હીકલ માર્ક-III) નું પ્રક્ષેપણ ISROની વેબસાઇટ અને YouTube ચેનલ પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે.

આ પણ વાંચો : Surat: ચંદ્રયાન 3 માટે સિરામિક પાર્ટ્સ સુરતની હિમસન સિરેમિક કંપનીએ બનાવ્યા, ખાસ ટેકનોલોજીથી કરાયા તૈયાર, જૂઓ Video

ચંદ્રયાન-3ના લોન્ચને ઓનલાઈન કેવી રીતે જોઈ શકશો

તમે 14 જુલાઈના રોજ બપોરના 2 કલાકે ઈસરોની યુટ્યુબ ચેનલ પર લાઈવ જોઈ શકો છો. તેમજ તમે tv9gujarati.com પર આ મિશન સાથે જોડાયેલી દરેક માહતી વિશેના સમાચાર જોઈ શકશો.

 

ચંદ્રયાન-3 એ ઈસરોના ચંદ્રયાન-2 મિશનની સિક્વલ છે. ચંદ્રયાન-2 ને સપ્ટેમ્બર 2019 માં ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગની છેલ્લી ક્ષણોમાં ક્રેશ થયું હતું. પહેલાની જેમ, ચંદ્રયાન-3માં પણ લેન્ડર અને રોવર છે, જેને પ્રોપલ્શન મોડ્યુલ દ્વારા ચંદ્રની 100 કિમીની ભ્રમણકક્ષામાં પહોંચાડવામાં આવશે.

આ પણ વાંચો : Chandrayaan 3: ISROએ પૂર્ણ કર્યુ લોન્ચિંગ રિહર્સલ, જાણો ચંદ્ર પર ક્યારે લેન્ડ થશે ચંદ્રયાન -3?

ક્લબ-4માં સામેલ થશે ભારત

મિશનનું પ્રાથમિક લક્ષ્ય ચંદ્રયાન-3 મિશનને ચંદ્રની સપાટી પર સુરક્ષિત સોફ્ટ લેન્ડિંગ કરવાનું છે. ISROને આ સફળતા મળતાની સાથે જ ભારત ચંદ્રની સપાટી પર અવકાશયાનને સોફ્ટ લેન્ડ કરનાર ચોથો દેશ બની જશે. અગાઉ આ ક્લબમાં અમેરિકા, ભૂતપૂર્વ સોવિયેત સંઘ અને ચીન સામેલ છે.

ચંદ્રયાન-3 મિશન ‘લોન્ચ વ્હીકલ માર્ક 3’ (LVM 3) રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવશે. આ વખતે ઓર્બિટરને મિશનમાં સામેલ કરવામાં આવ્યું નથી. મિશન હેઠળ અવકાશયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચશે અને પૃથ્વીના 14 દિવસની બરાબર ચંદ્ર પર કાર્ય કરશે.

ગુજરાત માટે ગૌરવની વાત

અંતરિક્ષ ક્ષેત્રમાં ચંદ્રયાન-3નું લોન્ચિંગ એ ભારતની જ નહીં ગુજરાત અને સુરત માટેની પણ મોટા ગૌરવની વાત રહેશે. જાણીને ગર્વ થશે કે ચંદ્રયાન 3 માટે સિરામિક પાર્ટ્સ સુરતની હિમસન સિરેમિક કંપનીએ બનાવ્યાં છે.

 

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો