સીબીઆઈએ શારદા ચિટફંડ ફ્રોડના મામલામાં કોલકાત્તા પૂર્વ પોલીસ આયુક્ત્ત રાજીવ કુમારની ધરપકડ વોરંટની અરજી કોર્ટમાં કરી છે. આ માટે સીબીઆઈએ બુધવારના રોજ કોર્ટમાં અરજી કરી છે.
આ પણ વાંચો : TV9ના અહેવાલની અસર: આણંદમાં બમણાં રુપિયા પડાવતા PUC સેન્ટરને કરાયું સીલ
સીબીઆઈ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે વરિષ્ઠ અધિકારી વારંવાર નોટિસ આપવા છતાં આ કેસમાં સીબીઆઈની સામે ઉપસ્થિત થયા નથી. આમ સીબીઆઈ દ્વારા કોર્ટમાં દલીલ કરવામાં આવી કે તપાસમાં રાજીવ કુમાર દ્વારા સહયોગ આપવામાં આવી નથી રહ્યો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ બાજુ રાજીવ કુમારના વકીલ દ્વારા સીબીઆઈની દલીલને કોર્ટમાં નકારવામાં આવી હતી. સીબીઆઈને પહેલાં જ સૂચિત કરવામાં આવ્યું છે કે 25 સપ્ટેમ્બર તેઓ ઉપલબ્ધ નહીં રહે. ઉલ્લેખનીય છે કે શારદા ચીટફંડના મામલામાં મમતા બેનર્જીએ સીબીઆઈના અધિકારીઓને જ બંગાળમાં રોકી દીધા હતા. તેઓ રાજીવ કુમારની સાથે ચૂંટણી પહેલાં આ બાબતને લઈને ધરણાં પર પણ બેસી ગયા હતા. ભાજપના અમુક નેતાઓ એવું પણ કહી રહ્યાં છે કે મમતા બેનર્જી આ ચીટફંડના મુદ્દાને લઈને પોતાના નેતાઓને બચાવવા માટે પીએમ મોદીને મળવા ગયા હતા.
જો સીબીઆઈ દ્વારા રાજીવ કુમારની ધરપકડ કરવામાં આવેે અને તે પણ કોર્ટના વોરંટ સાથે તો ફરી રાજકીય ગરમાવો આવી શકે છે. સીબીઆઈ દ્વારા કોર્ટનો રુખ કરવામાં આવ્યો છે અને તપાસમાં પોલીસ આયુક્ત્ત સહકાર નથી આપતા તેવી દલીલ સાથે ધરપકડ વોરંટની માગણી કરવામાં આવી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]