આસામમાં 18 જંગલી હાથીઓના મૃતદેહ મળી આવ્યા, જાણો શું છે કારણ

|

May 14, 2021 | 4:53 PM

આસામના નાગાઓન-કરબી એંગલોંગ જિલ્લાની સરહદ પર ગુરુવારે એક ટેકરી પર ઓછામાં ઓછા 18 જંગલી હાથીઓના મૃતદેહ મળી આવ્યા હતા. વનવિભાગ દ્વારા થયેલ મોતની પ્રારંભિક તપાસમાં જણાવવા આવ્યું હતું કે જંગલી હાથીઓના મોતનું કારણ કુદરતી વીજળી પડવાનું હાલ લાગે છે.

આસામમાં 18 જંગલી હાથીઓના મૃતદેહ મળી આવ્યા, જાણો શું છે કારણ
Representative Image

Follow us on

Assam ના નગાંવ -કાબી આંગલોંગ જિલ્લાની સરહદ પર ગુરુવારે એક ટેકરી પર ઓછામાં ઓછા 18 જંગલી હાથીઓના મૃતદેહ મળી આવ્યા હતા. વનવિભાગ દ્વારા થયેલ મોતની પ્રારંભિક તપાસમાં જણાવવા આવ્યું હતું કે જંગલી હાથીઓના મોતનું કારણ કુદરતી વીજળી પડવાનું હાલ લાગે છે.

Assam ના મુખ્ય વન સંરક્ષક (વન્યપ્રાણી) અમિત સહાયે જણાવ્યું હતું કે આ ઘટના બુધવારે કુંડોટોલી રેન્જમાં કુંડોલી પ્રસ્તાવિત અનામત જંગલ નજીકના ડુંગરાળ વિસ્તારમાં બની છે. તેમણે કહ્યું કે  18 હાથીઓના મૃતદેહ બે અલગ અલગ સ્થળેથી   મળી આવ્યા છે.

Assam રાજ્યના વન વિભાગના ઉચ્ચ અધિકારી અમિત સહાયે જણાવ્યું હતું કે, “એક સ્થળે ચાર હાથી અને 14 અન્ય હાથીના મૃતદેહ મળી આવ્યા હતા. પ્રારંભિક તપાસમાં ખુલાસો થયો છે કે હાથીઓનું મોત કુદરતી વીજળી પડવાના કારણે થયું છે. વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને પશુચિકિત્સકોને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા છે. ”

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

અમિત સહાયે એમ પણ કહ્યું હતું કે નાગાવ જિલ્લાના ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન અને ડીએફઓ (જિલ્લા વન અધિકારી) ને પણ આ વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે. સહાયે જણાવ્યું હતું કે તેઓ 18 જંગલી હાથીઓના મોતનું કારણ શોધવા માટે તપાસ કરશે.

Assam ના વન પ્રધાન પરિમલ શુક્લાવૈધે  કાઠિયાટોલી રેન્જમાં વીજળી પડવાના કારણે 18 જંગલી હાથીઓના મોત પર શોક વ્યક્ત કર્યો હતો. મંત્રી શુક્લાવૈધે  કહ્યું કે તેઓ શુક્રવારે સવારે પીસીસીએફ (વન્યપ્રાણી) અને અન્ય અધિકારીઓ સાથે સ્થળની મુલાકાત લેશે, આસામના મુખ્ય પ્રધાન હેમંત બિસ્વા સરમાની સૂચનાથી સમગ્ર ઘટનાની સમીક્ષા કરવામાં આવશે.

Published On - 4:41 pm, Fri, 14 May 21

Next Article