કેબિનેટની બેઠકમાં સરકારી કર્મચારીઓના DA ને વધારવા લેવાઈ શકે છે નિર્ણય

Dearness Allowance- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત થઈ શકે છે. સરકાર આજે મોંઘવારી ભથ્થામાં 3 ટકા સુધીનો વધારો કરી શકે છે.

કેબિનેટની બેઠકમાં સરકારી કર્મચારીઓના DA ને વધારવા લેવાઈ શકે છે નિર્ણય
Central Cabinet Meeting (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2022 | 11:44 AM

કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે DA (DA-Dearness Allowance) એટલે કે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો થઈ શકે છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, 1 જાન્યુઆરી, 2022થી DAમાં વધારો લાગુ કરવાનો પ્રસ્તાવ છે. માનવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (Prime Minister Narendra Modi) બેઠકમાં યોજાનારી કેબિનેટની બેઠકમાં (Cabinet Meeting Today) આજે તેને મંજૂરી મળી શકે છે. જો સરકાર આજે આ અંગે નિર્ણય લેશે તો તેનાથી 48 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનધારકોને ફાયદો થશે. અત્રે ઉલ્લેખનીય છે કે ડીએ, સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને આપવામાં આવતા ભથ્થામાં જાન્યુઆરી અને જુલાઈમાં વર્ષમાં બે વખત વધારવામાં આવે છે.

આજે કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવી શકે છે

સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. સરકાર મોંઘવારી ભથ્થું 3 ટકા સુધી વધારી શકે છે, હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને 31 ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવી રહ્યું છે.

જો કેબિનેટની બેઠકમાં તેને મંજૂરી મળી જશે તો સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 3 ટકાથી વધીને 34 ટકા થઈ જશે. મોંઘવારી ભથ્થામાં વધારાની સરકારની જાહેરાત સાતમા પગાર પંચની ભલામણના આધારે થશે. 2006 માં, કેન્દ્ર સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થાની ગણતરીની ફોર્મ્યુલા બદલી.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી છતાં કેન્દ્ર સરકારે ગયા વર્ષે ઓક્ટોબરમાં કેન્દ્રીય કર્મચારીઓનો DA 28 ટકાથી વધારીને 31 ટકા કર્યો હતો.

મધ્યપ્રદેશ સરકારે મોંઘવારી ભથ્થું વધારવાની જાહેરાત કરી છે

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પહેલાથી જ સરકારી કર્મચારીઓ માટેના ડીએમાં 11 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. હવે મધ્યપ્રદેશમાં સરકારી કર્મચારીઓના ડીએ 11 ટકાથી વધારીને 31 ટકા કરવામાં આવ્યું છે. અગાઉ રાજ્ય સરકારના કર્મચારીઓને તેમના મૂળ પગારના 20 ટકા ડીએ મળતું હતું.

મધ્યપ્રદેશ સરકારે ગયા વર્ષે દિવાળી પર ડીએ 12 ટકાથી વધારીને 20 ટકા કર્યો હતો. સરકારે સફાઈ કામદારોને દર મહિને 150 રૂપિયાનું જોખમ ભથ્થું આપવાનો નિર્ણય કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મોંઘવારી ભથ્થામાં વધારો કર્યા બાદ મધ્યપ્રદેશમાં રાજ્ય સરકારના કર્મચારીઓનો માસિક પગાર બે હજારથી વધીને 25 હજાર થઈ જશે.

આ પણ વાંચોઃ

Prashant Kishor: રાજકીય વિશ્લેષક પ્રશાંત કિશોરે કહ્યુ ‘આપ’ રાતોરાત રાષ્ટ્રીય પાર્ટી નહી બને, ભાજપને ટક્કર આપવા બે દાયકાની જરૂર પડશે

આ પણ વાંચો

Petrol-Diesel Price Today : આમ આદમી માટે માઠાં સમાચાર, આજે પણ મોંઘુ થયું પેટ્રોલ – ડીઝલ, જાણો લેટેસ્ટ રેટ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">