Breaking News : ખરાબ હવામાનની આગાહીને પગલે, વૈષ્ણોદેવી-અમરનાથ યાત્રા આજથી અચોક્કસ મુદત માટે સ્થગિત

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા, આગામી દિવસો માટે જાહેર કરાયેલ પ્રતિકૂળ હવામાનની ચેતવણીને પગલે, આજે 19 જુલાઈથી વૈષ્ણોદેવી યાત્રા અને અમરનાથની યાત્રા, સાવચેતીના પગલા તરીકે અચોક્કસ સમય માટે સ્થગિત કરવામાં આવી છે.

Breaking News : ખરાબ હવામાનની આગાહીને પગલે, વૈષ્ણોદેવી-અમરનાથ યાત્રા આજથી અચોક્કસ મુદત માટે સ્થગિત
Vaishnodevi-Amarnath Yatra postponed due to bad weather forecast
| Updated on: Jul 19, 2026 | 8:53 AM

જમ્મુ કાશ્મીરના ત્રિકુટ પર્વત પર આવેલ માતા વૈષ્ણોદોવીની યાત્રા, શ્રાઈન બોર્ડે આજથી અચોક્કસ મુદત માટે સ્થગિત કરી છે. આમ કરવા પાછળ હવામાન વિભાગે, ઉચ્ચારેલી ખરાબ હવામાનની આગાહી હોવાનું કહેવાય છે. શ્રાઈન બોર્ડે, યાત્રાએ આવતા યાત્રાળુની સુરક્ષા અને સલામતી માટે યાત્રા સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. યાત્રાળુઓની સલામતી અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે મોડી રાત્રે X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ દ્વારા આ માહિતીની જાહેરાત કરી.

તો બીજી તરફ અમરનાથ યાત્રા પણ સ્થગિત કરવામા આવી છે. આ અંગે કાશ્મીર વિભાગીય કમિશનર અંશુલ ગર્ગે જણાવ્યું હતું કે, 19 જુલાઈથી પહેલગામ અને બાલતાલ બંને રૂટ પરથી અમરનાથ યાત્રા સંપૂર્ણપણે સ્થગિત રહેશે. વહીવટીતંત્રે હાલમાં જમ્મુ, ઉધમપુર અને રામબનમાં રહેતા તમામ યાત્રાળુઓને તેમના નિયુક્ત આવાસ કેન્દ્રોમાં જ રહેવા અને અધિકારીઓ તરફથી આપવામાં આવનારી સત્તાવાર વધુ સૂચનાઓની રાહ જોવાની અપીલ કરી છે.

 

દરમિયાન, પવિત્ર તીર્થસ્થળ પર આશીર્વાદ મેળવવા માટે દેશભરમાંથી શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે, શનિવારે વહેલી સવારે કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસથી 3,632 યાત્રાળુઓનો એક નવો જથ્થો પવિત્ર અમરનાથ ગુફા માટે રવાના થયો. સત્તાવાર આંકડાઓ અનુસાર, અત્યાર સુધીમાં 3,76,779 યાત્રાળુઓએ પવિત્ર અમરનાથ ગુફામાં દર્શન કરવા માટે મુલાકાત લીધી છે.

અમરનાથ યાત્રામાં અનોખો પ્રયોગ: 400 ટન કચરો અને ખચ્ચરના છાણમાંથી બનાવાશે વીજળી અને ગ્રીન ફ્યુઅલ

Published On - 8:46 am, Sun, 19 July 26

Follow Us