
સુપ્રીમ કોર્ટે તહેવારો અને રજાઓ દરમિયાન એરલાઈન્સના ભાડામાં ખુબ વધારાને લઈ કેન્દ્ર સરકારને નિર્દેશ જાહેર કર્યો છે. કોર્ટે હવાઈ ભાડાને રેગુલેટ કરવા માટે બનાવેલા નિયમોની એક કોપી દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ માટે કોર્ટે કેન્દ્ર સરકારને 2 અઠવાડિયાનો સમય આપ્યો છે.સોમવારના રોજ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટેને જણાવ્યું કે, હવાઈ ભાડાને રેગુલેટ કરવાના નિયમ તૈયાર કરવામાં આવ્યા છે. આ નિયમો 30 દિવસની અંદર સંસદના બંને સદનોની સામે રજુ કરવાની આશા છે.
ત્યારબાદ સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો કે, નિયમોની એક કોપી 2 અઠવાડિયાની અંદર તેની સામે રાખવામાં આવશે. આ મામલાની આગામી સુનાવણી 3 ઓગસ્ટના રોજ થશે. આ મામલાની સુનાવણી જસ્ટિ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની પીઠે કરી હતી. અરજીમાં હવાઈ ભાડામાં અણધાર્યા વધઘટને નિયંત્રિત કરવા માટે માર્ગદર્શિકા માંગવામાં આવી હતી.
હવાઈ યાત્રામાં મનફાવે તેવા ભાડા અને એરલાઈન્સ દ્વારા વસુલવામાં આવતા વધારાના ચાર્જ માટે ગ્રાહકો પરેશાન રહે છે પરંતુ આ દિશામાં કોઈ ખાસ ગાઈડલાઈન ન હોવાના કારણે તે મજબુર છે. ત્યારે સુપ્રીમ કોર્ટેમાં આ અરજી એરલાઈન્સ કંપનીઓના મનફાવે તેવા ભાડા વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે. અરજદારનું કહેવું છે કે ભારતમાં ખાનગી એરલાઇન્સ પૂરતા નિયમન વિના ગતિશીલ ભાવો અપનાવીને મુસાફરો પાસેથી વધુ ભાડા વસૂલ કરી રહી છે, જેનાથી ગ્રાહકોના અધિકારોને અસર થાય છે.