Breaking News : બિહારના ભાગલપુરમાં ગંગા નદી પર બનેલો પુલ તૂટી પડ્યો, 1700 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો હતો, જુઓ Video

|

Jun 04, 2023 | 8:52 PM

Aguwani-Sultanganj bridge in Bihar’s Bhagalpur collapses : આ દુર્ઘટના સમયે ઘણા લોકો નજીકથી આ બ્રિજના દ્રશ્યો કેમેરામાં કેદ કરી રહ્યા હતા. આ બ્રિજનો શિલાન્યાસ બિહારના મુખ્યંત્રી નીતીશ કુમારે કર્યું હતું. હાલમાં જ ભાગલપુરના વિધાયકે આ બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યા હતા. આ પહેલા એપ્રિલ મહિનામાં આ બ્રિજનો એક ભાગ નદીમાં ધરાશાઈ થયો હતો.

Breaking News : બિહારના ભાગલપુરમાં ગંગા નદી પર બનેલો પુલ તૂટી પડ્યો, 1700 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો હતો, જુઓ Video
Aguwani-Sultanganj bridge in Bihar’s Bhagalpur collapses

Follow us on

Bhagalpur : બિહાર રાજ્યમાંથી એક ચોંકવાનારા સમાચારા સામે આવ્યા છે. બિહારના ભાગલપુર જિલ્લામાં આજે રવિવારે સાંજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ભાગલપુરમાં નિર્માણાધીન બ્રિજ ગંગા નદીમાં ધરાશાઈ થયો છે. આ નિર્માણાધીન બ્રિજ ખગડિયાના અગુવાની-સુલ્તાનગંજ વચ્ચે બની રહ્યો હતો. આ બ્રિજનો 200 મીટરનો ભાગ ગંગા નદીમાં પડ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

આ દુર્ઘટના સમયે ઘણા લોકો બ્રિજની નજીકથી આ બ્રિજના દ્રશ્યો કેમેરામાં કેદ કરી રહ્યા હતા. આ બ્રિજનો શિલાન્યાસ બિહારના મુખ્યંત્રી નીતીશ કુમારે (Nitish Kumar) કર્યો હતો. હાલમાં જ ભાગલપુરના વિધાયકે આ બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યા હતા. આ પહેલા વર્ષ 2022ના એપ્રિલ મહિનામાં આ બ્રિજનો એક ભાગ નદીમાં ધરાશાઈ થયો હતો.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

આ પણ વાંચો : Train Accident : બાલાસોર ટ્રેન દુર્ઘટનાને ‘કોમી રંગ’ આપનારાઓ સામે થશે કડક કાર્યવાહી, ઓડિશા પોલીસે આપી ચેતવણી

1700 કરોડોથી વધુના ખર્ચે બનેલો બ્રિજ ધરાશાઈ

નવેમ્બર-ડિસેમ્બરમાં થવાનું હતું ઉદ્દઘાટન

 


 

આ બ્રિજનું નિર્માણ એસપી સિંગલા કંપની કરી રહી હતી. મુખ્યમંત્રી નીતીશ કુમારે વર્ષ 2014માં આ બ્રિજની આધારશિલા રાખી હતી. વર્ષ 2015માં આ બ્રિજનું નિર્માણ કાર્ય શરુ થયું હતું. મળતી માહિતી અનુસાર આ બ્રિજ પાછળ 1710.77 કરોડનો ખર્ચ થયો હતો.અગુવાની તરફથી બ્રિજનો પાયા નંબર 10,11,12 ઉપરનો પૂરેપૂરો સુપર સ્ટ્રક્ચર ધરાશાઈ થયો છે. જે લગભગ 200 મીટરનો ભાગ હતો. જોકે, બ્રિજનું આ સ્ટ્રક્ચર ધરાશાઈ થવાનું કારણ હમણા સુધી સ્પષ્ટ થયું નથી.

આ પણ વાંચો : પૂજારીઓને દર મહિને મળશે 5000 રૂપિયા, પરશુરામ જયંતિએ રહેશે સરકારી રજા, આ રાજ્યના CMની મોટી જાહેરાત

વર્ષ 2022માં પણ પડયો હતો બ્રિજનો એક ભાગ

27 એપ્રિલ, 2022ના દિવસે પણ આ નિર્માણાધીન બ્રિજનો સુપર સ્ટ્રક્ચર નદી પર પડયો હતો. ઝડપી પવન અને વરસાદને કારણે તે સમયે 100 ફીટ લાંબો ભાગ ધરાશાઈ થયો હતો. તે સમયે પણ કોઈ જાનહાનિ થઈ ન હતી. આજ સુધીમાં બ્રિજનું 80 ટકા કામ પૂર્ણ થયું હતું.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:44 pm, Sun, 4 June 23

Next Article