Breaking News : પહેલગામમાં આતંકી હુમલો કરવા પાકિસ્તાન 4 વર્ષથી કરતું હતુ તૈયારી, NIA તપાસમાં મોટો ખુલાસો

પહેલગામમાં પાકિસ્તાની મુસ્લિમ આતંકીઓએ કરેલા હિન્દુ પ્રવાસીઓ પર કરેલા હુમલાની NIAએ કરેલી તપાસમાં મોટો અને ચોકાવનારો ખુલાસો થયો છે. પહેલગામ આતંકવાદી હુમલો અચાનક થયો ન હતો. પહેલગામમાં આતંકી હુમલો કરવા માટેનું કાવતરું ચાર વર્ષ પહેલા પાકિસ્તાનમાં ઘડવામાં આવ્યું હતું. હિન્દુ પ્રવાસીઓ પર કરાયેલા હુમલામાં ઉપયોગમાં લેવાયેલા મોબાઇલ ફોન, પાકિસ્તાનથી આયાત કરવામાં આવ્યા હતા અને પાકિસ્તાનની એક બેંક દ્વારા રૂપિયા પૂરા પાડવામાં આવ્યા હતા. આ એ જ બેંક છે જેનું નામ અગાઉ પણ આતંકવાદ સંબંધિત હુમલા કેસોમાં સામે આવ્યું છે.

Breaking News : પહેલગામમાં આતંકી હુમલો કરવા પાકિસ્તાન 4 વર્ષથી કરતું હતુ તૈયારી, NIA તપાસમાં મોટો ખુલાસો
| Edited By: | Updated on: Jun 01, 2026 | 6:05 PM

2025ના એપ્રિલ મહિનામાં જમ્મુ કાશ્મિરના પ્રવાસન સ્થળ પહલગામ ખાતે પાકિસ્તાનના મુસ્લિમ આતંકવાદીઓએ હિન્દુ પ્રવાસીઓ પર કરેલા હુમલામાં ઉપયોગમાં લેવાયેલા બે મોબાઇલ ફોનમાંથી એક 2021 માં પાકિસ્તાનમાં આયાત કરાયેલા કન્સાઇનમેન્ટનો ભાગ હતો. આ કન્સાઇનમેન્ટ કરાચી સ્થિત એક બેંક દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું, જે અગાઉ આતંકવાદ સાથે જોડાયેલા કેસોમાં સંડોવાયેલ છે. નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA) દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન આ ચોંકાવનારો ખુલાસો થયો હતો.

ગયા વર્ષે, જમ્મુ અને કાશ્મીરના પહલગામમાંસ પાકિસ્તાનના મુસ્લિમ આતંકીઓએ કરેલા આતંકવાદી હુમલામાં 26 હિન્દુ પ્રવાસીઓ માર્યા ગયા હતા. આ હુમલા બાદ, ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ખૂબ જ ખરાબ થઈ ઊઠ્યા. ભારતે આ હુમલા માટે પાકિસ્તાનને સીધુ જ જવાબદાર ઠેરવ્યું હતું, જ્યારે ઇસ્લામાબાદે આરોપોને નકારી કાઢ્યા હતા. ત્યારબાદ, ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધરીને પાકિસ્તાન સ્થિત આતંકી અડ્ડાઓનો નાશ કર્યો હતો. બંને દેશ વચ્ચે ચાર દિવસ સુધી લશ્કરી તણાવ રહ્યો હતો. આ દિવસો દરમિયાન હવાઈ હુમલા, ડ્રોન એટેક અને સરહદ પર ભારે મોર્ટાર ફાયરિંગનો સમાવેશ થતો હતો.

તપાસ એજન્સી નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA) ને હવે પુરાવા મળ્યા છે, જે દર્શાવે છે કે આ હુમલો સ્વયંભૂ ઘટના નહોતી. આ કાવતરું વર્ષોથી ઘડાઈ રહ્યું હતું. NIA અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે આતંકવાદીઓ પાસેથી મળેલા મોબાઇલ ફોનમાંથી એક ચાર વર્ષ પહેલાં પાકિસ્તાનમાં ખરીદ્યો હતો. આ ફોન હુમલા પહેલા સુધી બંધ અને બિનઉપયોગી રહ્યો હતો. તપાસનું કેન્દ્ર હવે ફક્ત આતંકવાદીઓ સુધી મર્યાદિત નથી. એજન્સીઓ હવે પાકિસ્તાનમાં તે નેટવર્કને ઓળખવા માટે પણ કામ કરી રહી છે જેણે આ આતંકવાદીઓને ટેકનિકલ અને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડ્યો હતો.

ઓપરેશન મહાદેવ’માં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા

શ્રીનગર નજીક દાચીગામમાં ‘ઓપરેશન મહાદેવ’ દરમિયાન, સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. જેમા સુલેમાન શાહ, હબીબ તાહિર (ઉર્ફે જિબ્રાન) અને હમઝા અફઘાનીનો સમાવેશ થાય છે. એન્કાઉન્ટર પછી, આતંકવાદીઓ પાસેથી બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા. આ ઉપકરણો પાછળથી તપાસમાં સૌથી મહત્વપૂર્ણ કડી સાબિત થયા. પહેલગામ ઘટનામાં સામેલ હુમલાખોરો પાસે Xiaomi Redmi શ્રેણીના બે ફોન હતા. એક Redmi 9T, જે 2021 માં આયાત કરવામાં આવ્યો હતો, અને એક Redmi Note 12, જે 2023 દરમિયાન લાવવામાં આવ્યો હતો. તપાસકર્તાઓએ ખુલાસો કર્યો છે કે બંને ફોનની લિંક પાકિસ્તાન સાથે જોડાયેલી છે.

IMEI નંબરો દ્વારા ફોનનો ઇતિહાસ ખુલ્યો

ફોનના IMEI નંબરોનો ઉપયોગ કરીને, અધિકારીઓએ Xiaomi Globalનો સંપર્ક કરીને આ ઉપકરણોના સપ્લાય બાબતે તમામ વિગતો પૂરી પાડવા જણાવ્યું હતું. જેના ભાગરૂપે કંપનીએ પૂરા પાડેલા રેકોર્ડ્સ પરથી જાણવા મળ્યું છે કે Redmi 9T જાન્યુઆરી 2021 માં પાકિસ્તાનમાં આવેલા મોટા કન્સાઇન્મેન્ટનો ભાગ હતો. આ કન્સાઇન્મેન્ટ કરાચી સ્થિત કંપની ટેક સિરાત પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કાયદેસર રીતે આયાત કરવામાં આવ્યું હતું. રેકોર્ડ્સ અનુસાર, ફૈઝલ બેંક આ કન્સાઇન્મેન્ટના ભંડોળ અને લોજિસ્ટિક્સના સંદર્ભમાં સૂચિબદ્ધ છે. સૂચિબદ્ધ ડિલિવરી સરનામું પણ બેંકના મુખ્ય મથકનું હતું.

એ નોંધનીય છે કે આંતરરાષ્ટ્રીય વેપારમાં, બેંકો વારંવાર આયાતકારોને લેટર્સ ઓફ ક્રેડિટ અને અન્ય નાણાકીય સુવિધાઓ પૂરી પાડે છે. તેથી, આયાત દસ્તાવેજોમાં બેંકના નામની હાજરીને જ, ગુનાહિત ગેરરીતિનો પુરાવો ગણી શકાય નહીં.

ફૈઝલ બેંકનું નામ પહેલા પણ સામે આવ્યું છે

તપાસ એજન્સીઓનું ધ્યાન આ બાબત તરફ દોરવામાં આવ્યું હતું કારણ કે ભૂતકાળમાં આતંકવાદ સંબંધિત કેસોમાં ફૈઝલ બેંકનું નામ સામે આવ્યું છે. આંતરરાષ્ટ્રીય અહેવાલોમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે કેટલીક પ્રતિબંધિત સંસ્થાઓ આ બેંકમાં ખાતા ધરાવે છે. બેંકે સતત આ આરોપોને નકારી કાઢ્યા છે, અને કહ્યું છે કે પ્રતિબંધો લાદવામાં આવ્યા પછી તરત જ સંબંધિત ખાતાઓ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હતી.

Redmi 9T જાન્યુઆરી 2021 માં પાકિસ્તાનમાં આવ્યું હતું પરંતુ આગામી ચાર વર્ષ સુધી તે બંધ રહ્યું. ઉપકરણ માટે કોઈ નેટવર્ક પ્રવૃત્તિ રેકોર્ડ મળ્યો ન હતો; કોઈ કોલ કરવામાં આવ્યા ન હતા, કે ક્યારેય સિમ કાર્ડ દાખલ કરવામાં આવ્યું ન હતું. 2025 માં, ફોન એકાએક સક્રિય થઈ ગયો અને ત્યારબાદ પહેલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓ પાસેથી મળી આવ્યો.

Breaking News : ગ્રીન કાર્ડ પર અમેરિકા સરકારનો યુ-ટર્ન, લાખો ભારતીય ઇમિગ્રન્ટ્સને મળશે મોટી રાહત

Follow Us
Loading...
Unable to load recommendations.