Vandalizes MPs house in Agra : સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી લાલ સુમન, એક નિવેદનને કારણે ચર્ચામાં છવાયેલા છે. તેમણે ગત 21 માર્ચે રાજ્યસભામાં રાણા સાંગાને દેશદ્રોહી કહ્યા હતા. આ નિવેદન બાદ તેઓ રાજપૂત સમુદાયના નિશાના ચડ્યા છે. સાંસદ રામજી લાલ સુમનની વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. આજે એટલે કે બુધવારે, કરણી સેનાના કાર્યકરોએ આગ્રામાં તેમના ઘર પર હુમલો કર્યો હતો.
Ad
Follow us on
કરણી સેનાના કાર્યકરોએ રાણા સાંગાને ‘દેશદ્રોહી’ ગણાવનારા સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી લાલ સુમનના આગરાના ઘર પર હુમલો કર્યો. તોફાનીઓએ તેમના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ પોલીસ અને કરણી સેનાના કાર્યકરો વચ્ચે પણ ધક્કા મુક્કી, ઝપાઝપી થઈ હતી. આ અથડામણમાં ઘણા પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. કરણી સેનાના કાર્યકરો બુલડોઝર લઈને સાંસદ સુમનના નિવાસસ્થાને પહોંચ્યા અને વાહનોમાં તોડફોડ કરી હતી.
#WATCH | Agra, UP: Vandalism and stone pelting broke outside the residence of Samajwadi Party MP Ramji Lal Suman. Police try to disperse the crowd and bring the situation under control.
21 માર્ચે રામજી લાલ સુમને રાજ્યસભામાં રાણા સાંગાને દેશદ્રોહી કહ્યા હતા અને કહ્યું હતું કે હિન્દુઓ તેમના વંશજ છે. આ નિવેદન પછી, તે નિશાના પર છે. દેશમાં ઘણી જગ્યાએ તેમના વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. ખાસ કરીને રાજપૂત સમુદાયમાં આ વિવાદાસ્પદ નિવેદન અંગે ગુસ્સો છે.
મંગળવારે રાજપૂત સંગઠને ભોપાલમાં એસપી ઓફિસની બહાર પ્રદર્શન કર્યું. તેઓએ સપા પ્રમુખ અખિલેશ યાદવ અને રામજી લાલ સુમનના પુતળાઓનું દહન કર્યું. રાણા સાંગા વિશે પોસ્ટર લગાવવાને લઈને મહાપંચાયત અને સપા કાર્યકરો વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી, ત્યારબાદ પોલીસે સૌને વિખેરી દીધા હતા.
સાંસદ રામજી લાલે શું કહ્યું હતું ?
રામજી લાલે રાજ્યસભામાં કહ્યું હતું કે, ભારતીય મુસ્લિમો બાબરને પોતાનો આદર્શ નથી માનતા. તેઓ પયગંબર મુહમ્મદ અને સૂફી પરંપરાનું પાલન કરે છે. પણ હું પૂછવા માંગુ છું કે બાબરને અહીં કોણ લાવ્યુ? રાણા સાંગાએ જ બાબરને ઇબ્રાહિમ લોદીને હરાવવા આમંત્રણ આપ્યું હતું. તો, જો મુસ્લિમોને બાબરના વંશજ કહેવામાં આવે છે, તો હિન્દુ દેશદ્રોહીઓ રાણા સાંગાના વંશજ હોવા જોઈએ. આપણે બાબરની ટીકા કરીએ છીએ, પણ રાણા સાંગાની ટીકા કેમ નથી કરતા?
સીએમ યોગીએ શું જવાબ આપ્યો?
સમાજવાદી પાર્ટીના સાંસદના નિવેદન પર ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું, શું ફક્ત તે લોકો જ ઇતિહાસ જાણે છે જેઓ ઝીણાનો મહિમા કરે છે ?…આ એ જ લોકો છે જે બાબર, ઔરંગઝેબ અને ઝીણાનો મહિમા કરે છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે દેશ, ભારતના વારસા અને ભારતના મહાપુરુષો પ્રત્યે તેમની લાગણીઓ કેવી હશે.
સીએમ યોગીએ વધુમાં કહ્યું કે તેમને પાછા ફરવામાં વધુ સમય લાગશે નહીં… આ લોકો મહારાણા પ્રતાપ, રાણા સાંગા, છત્રપતિ શિવાજી મહારાજ અને ગુરુ ગોવિંદ સિંહ વિશે શું જાણે છે? જેઓ ઔરંગઝેબ અને બાબરની પૂજા કરે છે અને ઝીણાને પોતાનો આદર્શ માને છે તેમની પાસેથી આ અપેક્ષા રાખી શકાય નહીં.
દેશના વિવિધ નાના મોટા મહત્વના તમામ સમચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.