
યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રસ્તા પર નમાઝ પઢવા બેસી જતા લોકો સામે લાલ આંખ કરી છે અને આ પ્રકારે નમાઝ પઢવા સામે તેમની સખ્ત નારાજગી પણ વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ છે કે રોડ- રસ્તા લોકોના આવવા- જવા માટેનુ સ્થળ છે અને કાયદાની સમક્ષ તમામ નાગરિકો સમાન છે. આથી આ સંખ્યા જો વધુ છે તો લોકો શિફ્ટમાં અથવા તો તેમના ધાર્મિક સ્થળો પર નમાઝ પઢે. CM યોગી એ સ્પષ્ટ ચેતવણી આપી છે કે સરકાર સડકો પર અરાજક્તા ફેલાવા નહીં દે. જો આ લોકો સંવાદથી અને પ્રેમથી માને છે તો ઠીક છે નહીં તો તેમની સામે કાયદાકીય અન્ય રસ્તાઓ પણ છે.
સોમવારે યોગી આદિત્યનાથે મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ છે કે જો તમારે નમાઝ પઢવી જ છે તો શિફ્ટમાં પઢો. CM યોગીએ કહ્યુ, “લોકો મને પૂછે છે કે સાહેબ તમારે ત્યાં શું સાચે સડકો પર નમાઝ પઢવામા આવે છે? તો હું કહુ છુ બિલકુલ નહીં. તમે જઈને જોઈ લો, નથી હોતી. અરે સડકો ચાલવા માટે છે કે કોઈપણ વ્યક્તિ આવીને ચાર રસ્તા પર તમાશો બનાવી દેશે” શું અધિકાર છે તેમને સડક જામ કરવાનો? આવાગમન બાધિત કરવાનો અધિકાર ક્યો છે વળી?”
CM યોગીના અનુસાર, “તે લોકોએ મને પૂછ્યુ સાહેબ કેવી રીતે થશે, અમારી સંખ્યા કેટલી વધુ છે. તો મે કહ્યુ શિફ્ટમાં કરી લો, તમારા ઘરમાં રહેવાની જગ્યા નથી તો ભાઈ સંખ્યા નિયંત્રિત કરી લો. વધુમાં જો તમારી પાસે મોટા પરિવારને ટેકો આપવાની ક્ષમતાનો અભાવ હોય તો શા માટે બિનજરૂરી રીતે તેનુ કદ વધારતા રહેવુ. તમારે સમજવુ પડશે કે જો સિસ્ટમ સાથે રહેવુ હશે તો નિયમ અને કાયદાનું પાલન કરવુ પડશે.
મુખ્યમંત્રીએ કહ્યુ આ કાયદાનું રાજ છે. કાયદાના રાજને સૌને સમાન રીતે લાગુ કરશુ. નમાઝ પઢવી આવશ્યક છે. તમે શિફ્ટમાં પઢો. અમે નહીં રોકીએ. પરંતુ સડક પર નહીં. સડક ચાલવા માટે છે. એક સામાન્ય વ્યક્તિ, એક બીમાર વ્યક્તિ, એક કામદાર, એક કર્મચારી, એક વેપારી એ તમામ માટે છે અને અમે કોઈને સડકને બાધિત કરવા નહીં દઈએ. સરકારનો નિયમ સાર્વભૌમનો છે. સૌને માટે સમાન રીતે લાગુ થાય છે.
તેમણે કહ્યુ કે અમે સૌને કહ્યુ છે કે ભાઈ સડકો આ નહીં ચાલે, અરાજ્તા સડકો પર નહીં ફેલાવા દઈએ, પ્રેમથી માનો છો તો ઠીક છે નહીં માનો તો અન્ય તરીકાઓ પણ છે. જો તમે સંવાદથી માનો છો તો સંવાદથી નહીં તો સંઘર્ષથી જોઈ લો. બરેલીમાં લોકો એ હાથ અજમાવવાની કોશિશ કરી, જોઈ લીધી તાકત? આ જ કારણ છે કે સરકાર એ સિસ્ટમ સાથે સમગ્ર વ્યવસ્થાને જોડવા માગે છે.