
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) કાનપુર દ્વારા આજે 2 જૂનના રોજ JEE એડવાન્સ્ડ 2025 પરીક્ષાની અંતિમ આન્સર કી અને પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પરીક્ષામાં બેઠેલા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ Jeeadv.ac.in પર જઈને નોંધણી નંબર અને જન્મ તારીખ દાખલ કરીને તેમના પરિણામો ચકાસી શકે છે. પ્રોવિઝનલ આન્સર કી પર મળેલા વાંધાઓના નિકાલ પછી પરિણામ અને અંતિમ આન્સર કી જાહેર કરવામાં આવી છે.
JEE એડવાન્સ્ડ પરીક્ષા 18 મેના રોજ દેશભરના વિવિધ કેન્દ્રો પર પેપર 1 અને પેપર 2 માટે અલગ અલગ શિફ્ટમાં લેવામાં આવી હતી. 22 મેના રોજ રિસ્પોન્સ શીટ બહાર પાડવામાં આવી હતી. તેમજ 25 મેના રોજ સવારે 10 વાગ્યે પ્રોવિઝનલ આન્સર કી બહાર પાડવામાં આવી હતી. ઉમેદવારોને આ વાંધો નોંધાવવા માટે 26 અને 27 મે સુધીનો સમય આપવામાં આવ્યો હતો. પરિણામ સાથે વિષયવાર કટ ઓફ પણ જાહેર કરવામાં આવ્યો છે.
પરીક્ષામાં સફળ થનારા ઉમેદવારો IIT માં પ્રવેશ માટે અરજી કરી શકે છે. કાઉન્સેલિંગ માટેની નોંધણી પ્રક્રિયા આવતીકાલે 3 જૂનથી શરૂ થશે. કાઉન્સેલિંગમાં ભાગ લેવા માટે ઉમેદવારો આવતીકાલથી નોંધણી કરાવી શકે છે. JEE મેઈન્સમાં સફળ થનારા ઉમેદવારો ફક્ત NIT માં પ્રવેશ માટે અરજી કરી શકે છે. બીજી તરફ JEE એડવાન્સ્ડ પાસ કરનારા ઉમેદવારો NIT અને IIT બંનેમાં પ્રવેશ માટે અરજી કરી શકે છે. પરિણામ સંબંધિત વધુ માહિતી માટે તમે JEE એડવાન્સ્ડની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.
માણસ દરેક ક્ષણે નવા-નવા અનુભવો મેળવે છે. આ અનુભવો તે બીજાને કહે છે અને નવી વસ્તુઓ શીખવે છે. જે તેના રોજિંદા વર્તનને અસર કરે છે. સાદી ભાષામાં કહીએ તો અંધકાર તરફથી અંજવાળામાં લઈ જતા જ્ઞાનને શિક્ષણ કહેવામાં આવે છે. જેનાથી વ્યક્તિનું જીવન બદલાય છે અને જીવન જીવવાની દિશા મળે છે.
Published On - 11:31 am, Mon, 2 June 25