Gujarati NewsNationalBjp vice president of anantnag jammu kashmir shot dead by terrorists in jammu kashmir
અનંતનાગ જિલ્લાના ભાજપ ઉપાધ્યક્ષની આતંકીઓએ 4 ગોળી મારીને કરી દિધી હત્યા, ઘરમાં ઘૂસી આતંકીઓએ કર્યું હતું બેફામ ફાયરિંગ
અનંતનાગ જિલ્લાના ભાજપ ઉપાધ્યક્ષની તેમના જ ઘરમાં આતંકીઓએ 4 ગોળી મારીને કરી હત્યા, હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓએ ભાજપના નેતાની ગોળી મારીને હત્યા કરી દીધી છે. આ ઘટના અનંતનાગના વેરિંગમાં સર્જાઈ છે. અનંતનાગ જિલ્લાના નૌગામ નામના ગામમાં હથિયારો સાથે આતંકીઓએ હુમલો કર્યો હતો. જેમાં અનંતનાગ જિલ્લાના ભાજપ ઉપાધ્યક્ષ ગુલ મુહમ્મદ મીરના ઘરમાં […]
Follow us on
અનંતનાગ જિલ્લાના ભાજપ ઉપાધ્યક્ષની તેમના જ ઘરમાં આતંકીઓએ 4 ગોળી મારીને કરી હત્યા, હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત
જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓએ ભાજપના નેતાની ગોળી મારીને હત્યા કરી દીધી છે. આ ઘટના અનંતનાગના વેરિંગમાં સર્જાઈ છે. અનંતનાગ જિલ્લાના નૌગામ નામના ગામમાં હથિયારો સાથે આતંકીઓએ હુમલો કર્યો હતો. જેમાં અનંતનાગ જિલ્લાના ભાજપ ઉપાધ્યક્ષ ગુલ મુહમ્મદ મીરના ઘરમાં ઘૂસી આતંકીઓએ ગોળી મારી દીધી છે.
શનિવાર રાત્રે બનેલી ઘટના બાદ મુહમ્મદ મીરને હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ભાજપના રાજ્ય પ્રવક્તાએ આ અંગે માહિતી જણાવી હતી. ભાજપના નેતા મુહમ્મદ મીરની ઉંમર 60 વર્ષ હતી. આતંકીઓએ 4 જેટલી ગોળી તેમના શરિરમાં ધરબી દીધી હતી.