6 જૂનના દિવસે એક ભેંસના કારણે ભારતની સૌથી મોટી ટ્રેન દુર્ઘટના, લોકોના મૃતદેહને કાઢવા ગોતામણની ઓફર કરાઈ હતી

|

Jun 07, 2019 | 6:42 AM

6 જૂન 1981ના દિવસે બિહારમાં મનસીથી સહરસા તરફ બાગમતી નદીના પુલ પરથી ટ્રેન પસાર થઈ રહી હતી. વરસાદની ઋતુમાં ભારે વરસાદ પણ વરસી રહ્યો હતો. ત્યારે બાગમતી નદી પણ ઉભરી આવી હતી. 9 ડબ્બાની આ ટ્રેનમાં હજારો લોકો મુસાફર કરી રહ્યા હતા. અને અચાનક ડ્રાઈવરે બ્રેક મારી તો 9માંથી 7 ડબ્બા એકબીજાથી અલગ થઈ ચૂક્યા […]

6 જૂનના દિવસે એક ભેંસના કારણે ભારતની સૌથી મોટી ટ્રેન દુર્ઘટના, લોકોના મૃતદેહને કાઢવા ગોતામણની ઓફર કરાઈ હતી

Follow us on

6 જૂન 1981ના દિવસે બિહારમાં મનસીથી સહરસા તરફ બાગમતી નદીના પુલ પરથી ટ્રેન પસાર થઈ રહી હતી. વરસાદની ઋતુમાં ભારે વરસાદ પણ વરસી રહ્યો હતો. ત્યારે બાગમતી નદી પણ ઉભરી આવી હતી. 9 ડબ્બાની આ ટ્રેનમાં હજારો લોકો મુસાફર કરી રહ્યા હતા. અને અચાનક ડ્રાઈવરે બ્રેક મારી તો 9માંથી 7 ડબ્બા એકબીજાથી અલગ થઈ ચૂક્યા હતા. ડબ્બાઓ પૂલની લાઈન તોડીને નદીમાં ખાબક્યા હતા. લોકો કલાકો સુધી મદદ માટે બૂમાબુમ કરતા હતા પણ જ્યાં સુધી મદદ આવી તો અનેક લોકો મોતને પામી ગયા હતા.

આ પણ વાંચોઃ નરેન્દ્ર મોદી, જગન મોહન રેડ્ડી અને હવે ભાજપ વિરુદ્ધ આ વ્યક્તિ માટે ચૂંટણી પ્રચાર કરશે પ્રશાંત કિશોર

TV9 Gujarati

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

1981નું એ વર્ષ હતું કે જ્યારે ભારતીય ટ્રેનોમાં મુસાફરી કરનારા લોકોમાં મોતનો ભય પણ પ્રવાસ કરતો હતો. જાન્યુઆરીથી સપ્ટેમ્બર વચ્ચેના 8 મહિનાઓમાં 526 અકસ્માત થઈ ચૂક્યા હતા. ત્યારે 6 જૂન 1981ના દિવસે 416 ડાઉન ટ્રેને તો નદીમાં જળસમાધી લઈ લીધી હતી. આ અંગે રેલવે વિભાગે કહ્યું કે ટ્રેનમાં માત્ર 500 જેટલા મુસાફરો બેઠા હતા. પરંતુ બાદમાં એક સમાચાર એજન્સીને માહિતી આપતા અધિકારીઓએ કહ્યું કે, અંદાજે 1થી 3 હજાર મુસાફરો હાજર હશે.

આ વાતની પુષ્ટી તેના પરથી પણ કરવામાં આવી શકે છે કે, ગોતાખોરને એક મૃતદેહ કાઢવા માટે રૂપિયા આપવામાં આવતા હતા. જો કે ગોતાખોરોએ રૂપિયા લેવાની ના પાડી દીધી હતી. તો સેનાએ પાણીમાં વિસ્ફોટ કરીને મૃતદેહો કાઢવાની યોજના ઘડી હતી જેનો પ્રયોગ પછી ટાળી દેવાયો હતો. ગોતાખોરોએ 286 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા હતા તો 300થી વધુ લોકો લાપતા થઈ ગયા હતા. 800 લોકોની મોતનો અંદાજો લગાવ્યો હતો ત્યારે આ દેશની આ સૌથી મોટી ટ્રેન દુર્ઘટના છે. 2004માં શ્રીલંકામાં સુનામીમાં ઓસિયન કીન એક્સપ્રેસ પાણીમાં વહી ગઈ અને 1 હજાર 700થી વધુ લોકોની મોત થઈ હતી. જે દુનિયાની સૌથી મોટી ટ્રેન દુર્ઘટના હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભારતની આ ટ્રેન દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તેનું કોઈ ચોક્કસ કારણ સામે નથી આવ્યું. આ માટે બે તારણ સામે આવ્યા હતા. જેમાં ટ્રેક પર ઉભી ભેંસને બચાવવા માટે ડ્રાઈવરે બ્રેક મારી અને પાટા પરથી ટ્રેન ખસી ગઈ હતી. તો બીજું તારણ એવુ માનવામાં આવે છે કે ભારે તુફાનના કારણે લોકોએ બારી બંધ કરી દીધી હતી. અને ભારે વરસાદમાં પવન ટ્રેનની આરપારથી પસાર ન થઈ શકતા ડબ્બાઓ પાટા પરથી ખસી ગયા હતા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:50 pm, Thu, 6 June 19

Next Article