Odisha Train Accident: બાલાસોર ટ્રેન દુર્ઘટનાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, કવચ સિસ્ટમ લાગુ કરવા કરી માગ

અરજદારે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે કે રેલ મુસાફરીને 100% સુરક્ષિત બનાવવા કેન્દ્ર સરકારને યોગ્ય આદેશો આપે. સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારીએ અરજી દાખલ કરી છે. આ માર્ગ પર કવચ સિસ્ટમ સક્રિય નહોતી. જો આ સિસ્ટમ સક્રિય હોત તો અકસ્માત ટાળી શકાયો હોત.

Odisha Train Accident: બાલાસોર ટ્રેન દુર્ઘટનાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, કવચ સિસ્ટમ લાગુ કરવા કરી માગ
Balasore train accident case reaches Supreme Court
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2023 | 12:49 PM

ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 288 લોકોના મોત થયા છે. ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે. રેલ્વે મંત્રી શનિવારે ઘટના સ્થળે પહોંચ્યા હતા. રાહત કાર્યની સમીક્ષા કરી હતી. અધિકારીઓ સાથે વાત કર્યા બાદ બચાવ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. પીએમ મોદીએ પણ ઓડિશાની મુલાકાત લીધી હતી. તેઓ ઘાયલોને મળવા હોસ્પિટલ પહોંચ્યા. હવે આ દર્દનાક અકસ્માત કેસ પર સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે.

દોષિતોને બક્ષવામાં નહીં આવે: પીએમ મોદી

શુક્રવારે સાંજે બનેલી આ ઘટનાએ આખી દુનિયાને ચોંકાવી દીધી છે. આ દુર્ઘટના પર ઘણા દેશોના રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ગઈકાલે કડક સ્વરમાં કહ્યું હતું કે આ ઘટનાઓમાં દોષિતોને બક્ષવામાં નહીં આવે. આ ઘટના માટે જવાબદાર લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. ઘટનાના કારણો પણ જાણવા મળ્યા છે. રેલ્વે મુસાફરોની સલામતી માટે કવચ પધ્ધતિનો તાત્કાલિક અમલ કરવા માટે સુપ્રિમ કોર્ટને સુચના જારી કરવા માગ કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ

અરજદારે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે કે રેલ મુસાફરીને 100% સુરક્ષિત બનાવવા કેન્દ્ર સરકારને યોગ્ય આદેશો આપે. સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારીએ અરજી દાખલ કરી છે. તમને જણાવી દઈએ કે આ માર્ગ પર કવચ સિસ્ટમ સક્રિય નહોતી. જો આ સિસ્ટમ સક્રિય હોત તો અકસ્માત ટાળી શકાયો હોત. અત્યાર સુધી તે માત્ર કેટલાક રૂટ પર જ લગાવવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટની અરજીમાં કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીને તમામ રૂટ પર વહેલી તકે તેને ઠીક કરવા જણાવવું જોઈએ જેથી કરીને મુસાફરોના જીવને કોઈ ખતરો ન રહે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

રેલવે મંત્રી ઓડિશામાં જ હાજર

રેલવે મંત્રી હજુ પણ ઓડિશામાં છે. આજે તે ફરી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેઓ અહીં સતત નજર રાખી રહ્યા છે. એક દિવસ પહેલા તેમણે કહ્યું હતું કે આ રાજકારણનો સમય નથી. આપણે દરેક જીવને કોઈપણ રીતે બચાવવાનું છે. રેલવે મંત્રીએ કહ્યું હતું કે હું ક્યાંય જઈશ નહીં. હું અહીં જ રહીશ હકીકતમાં તેમના રાજીનામાની માગ કરવામાં આવી હતી.

તેના પર તેમણે કહ્યું કે આ સમયે સૌથી જરૂરી છે કે આપણે બચાવ પર ધ્યાન આપીએ. તે શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ થવું જોઈએ. તેમણે કહ્યું હતું કે દરેક જીવન આપણા માટે કોઈપણ કિંમતે મહત્વપૂર્ણ છે. તેમને સાચવવું એ પ્રાથમિકતા છે. પીએમ મોદીએ સ્વાસ્થ્ય મંત્રીને સૂચના આપી છે કે તેઓ ઘાયલોની સારવારમાં કોઈ કમી ન આવવા દે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">